અર્થવ્યવસ્થા, ચીન અને રાજ્યો બધામાં PM મોદી નિષ્ફળ છે: BJP MP સુબ્રમણ્યમ સ્વામી

ગુજરાતમાં એક ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેલાં પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને રામ મંદિર જેવા મુદ્દાઓ  પર બેધડક નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના મુદ્દે PM મોદી નિષ્ફળ ગયા છે અને તેમણે આગામી ચૂંટણી ન લડવી જોઇએ.

ભારતીય અર્થતંત્રની મજબુતાઇની દુનિયાભરમાં પ્રસંશા થઇ રહી છે,વર્લ્ડ ઇકોનોમી ફોરમથી માંડીને IMFના પ્લેટફોર્મ પર ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીની ચર્ચા છે, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીની નજરમાં પ્રધાનમંત્રી મોદી સરકાર નિષ્ફળ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે PM મોદી અર્થવ્યવસ્થાના મુદ્દે નિષ્ફળ છે, ચીનના મુદ્દા પર પણ અને રાજ્યોમાં અત્યારે જે કઇં થઇ રહ્યું છે તે મુદ્દે પણ નિષ્ફળ ગયા છે.

અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દે સ્વામીએ કહ્યું કે જે કઇં થયું તે મેં કર્યું છે. સ્વામીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અર્થવ્યવસ્થામાં કંઈ જ યોગ્ય નથી. તેમણે કહ્યું કે કોરોનાના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા 16 ટકા નીચે ચાલી ગઇ હતી જે હજુ સુધી ઉપર આવી નથી. બાકી દેશોની અર્થવ્યવસ્થા ઉપર આવી ગઇ છે.

સ્વામીએ કહ્યું કે જે થોડી ઘણી અર્થવ્યવસ્થા છે એની અતિશયોકિત કરવામાં આવી રહી છે. સુબ્રમણ્યસ્વામીએ મીડિયાને કહ્યું કે,સરકારના પક્ષ સાથે મારી ડિબેટ કરાવો, દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે.

પૂર્વ રાજયસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીનેબાલિશ હરકતો કરવા વાળા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો આવશે તેના વિશે મને ખબર નથી, પરંતુ રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે. એવા અનેક મુદ્દાઓ છે જેને ઉઠાવવા જોઇએ, પરંતુ રાહુલ બાળકો જેવી વાતો કરે છે. આર્ટિકલ 370ને હટાવવાના મુદ્દાને તેમણે અધૂરો ગણાવ્યો હતો.

વડોદરાની ખાનગી યુનિવર્સિટાં મહેમાન બનેલા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે દેશનું વિભાજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમો અહીં રહી શકે છે, પરંતુ સંસ્કૃતિ હિંદુ હોવી જોઈએ. તો આ પછી રામસેતુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મોદી સરકાર રામસેતુને રાષ્ટ્રીય ધરોહર કેમ જાહેર નથી કરી રહી. તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં તેને કોઈ બગાડી ન શકે. તેમને રામસેતુને રાષ્ટ્રીય ધરોહર બનાવવામાં કોઈ અડચણ નથી. ત્યાં કોઈ હિંદુ-મુસ્લિમ અને ખ્રિસ્તી મુદ્દો નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.