The Kerala Storyના નિર્માતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા,CM મમતા સરકાર વિરુદ્ધ અરજી

'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સરકારે રાજ્યમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ નિર્માતાઓએ તેમની અરજીમાં તમિલનાડુ સરકાર રાજ્યમાં ફિલ્મ દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પૂરી પાડવાની પણ માંગ કરી છે. કારણ કે તાજેતરમાં તમિલનાડુના ઘણા થિયેટરોએ કહ્યું હતું કે, તેઓ ફિલ્મ બતાવવાથી ડરે છે. ઘણી સંસ્થાઓએ આમ કરવા પર ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટ ફિલ્મ 'કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર પણ સુનાવણી કરશે.

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. એક તરફ કેરળ અને તમિલનાડુ બાદ પશ્ચિમ બંગાળમાં પણ ફિલ્મ બતાવવા સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની ટ્રેજડી બતાવવામાં આવી છે. જેઓ લગ્ન બાદ ઇસ્લામ કબૂલ કરીને ISISના કેમ્પમાં સ્મગલિંગ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.

એક તરફ, ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે, પરંતુ ઘણા રાજ્યોમાં ફિલ્મને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સરકારે રાજ્યમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના કોઈપણ સિનેમા હોલમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે નહીં. CM મમતા બેનર્જીએ પોતે આ ફિલ્મને ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કેરળના CM પિનરાઈ વિજયને આ ફિલ્મને RSSનો પ્રચાર ગણાવ્યો છે. તમિલનાડુમાં ઘણા થિયેટર માલિકોએ વિરોધ અને તોડફોડના ડરથી ફિલ્મ રિલીઝ કરી ન હતી.

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે. આ ઉપરાંત, અરજીમાં તામિલનાડુ સરકારને રાજ્યમાં ફિલ્મો દર્શાવતા સિનેમા હોલને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરવામાં આવી છે.

ફિલ્મ 'કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ સામે પણ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે અપીલને યાદીમાં મુક્યો છે. આ મામલામાં પત્રકાર કુર્બન અલીએ અપીલ દાખલ કરી છે. જેને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યા છે. પત્રકાર કુર્બન અલી દ્વારા દાખલ કરાયેલી અપીલની દલીલ કરતા સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, અપીલ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' સંબંધિત છે અને તેની તાકીદે સુનાવણીની જરૂર છે, કારણ કે હાઈકોર્ટે ગયા શુક્રવારે ફિલ્મને રિલીઝ થતી રોકવાની અપીલ પર ઇન્કાર કરી દીધો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.