આ રાજ્ય સરકારની જાહેરાત, અકબરને ‘મહાન’ બતાવતા શાળાના પુસ્તકો નહીં ભણાવી શકાય

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે ફરી એક વખત અકબર મહાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી કે હવે રાજસ્થાનની શાળાઓમાં ભણાવવામાં નહીં આવે કે અકબર મહાનની ગાથા ભણાવવામાં આવશે. મહારાણા પ્રતાપથી મહાન કોઈ નથી, અકબર પણ નહીં. એટલું જ નહીં શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે, અકબરે ઘણા વર્ષો સુધી ભારતને લૂંટ્યું અને અકબર મહાન હોવાનું ભણાવતા લોકો હવે આગળ નહીં ભણાવી શકે. એવામાં રાજ્યમાં મહારાણા પ્રતાપ અને અકબરને લઈને ફરી એક વખત સંગ્રામ છેડાવાનું છે.

રવિવારે ઉદયપુરમાં આયોજિત 28માં રાજ્ય સ્તરીય ભામાશાહ સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી દિલાવરે અકબર મહાનને લઈને આ નિવેદન આપ્યું હતું. તેને લઈને હવે રાજકારણમાં ચર્ચા શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિવાલર અકબરને લઈને અગાઉથી જ નિવેદન આપતા રહ્યા છે. રવિવારે તેમણે પોતાની વાતનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે, એવા વ્યક્તિ કઇ રીતે મહાન હોય શકે છે કે જે મીના બજાર લગાવતી હતી અને મહિલાઓને ઉઠાવી લઈ જતા હતા.

દિલાવરે કહ્યું કે, જેમણે અકબરને મહાન બતાવ્યા, તેમની ગાથા ભણાવી, તેઓ મેવાડ અને રાજસ્થાનના દુશ્મન છે. હું શપથ લઈને કહું છું કે આગળ રાજસ્થાનમાં કોઈ પણ પુસ્તકમાં અકબરને મહાન રૂપે ભણાવવામાં નહીં આવે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં મુઘલ સમ્રાટ અકબરને બળાત્કારી પણ કહી દીધા હતા. તેમની આ ટિપ્પણી સરકારમાં બદલાવ બાદ શાળાના પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ સંશોધન બાબતે ચર્ચાના જવાબ કરવામાં આવી હતી.

દિલાવરે વધુમાં જણાવ્યું કે, ઘણા પાઠ્યપુસ્તકોમાં એમ કહેવામાં આવ્યું છે કે સાવરકર દેશભક્ત નહોતા. જ્યાં અકબરને એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે. તો શિવાજીને ‘પહાડી ઉંદર’ કહેવામાં આવે છે અને મહારાણા પ્રતાપની ભૂમિકા અકબરથી ઓછી છે. એવામાં નિવેદન સ્વીકાર્ય નથી અને તેમની સમીક્ષા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.