આ રાજ્ય સરકારની જાહેરાત, અકબરને ‘મહાન’ બતાવતા શાળાના પુસ્તકો નહીં ભણાવી શકાય

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે ફરી એક વખત અકબર મહાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી કે હવે રાજસ્થાનની શાળાઓમાં ભણાવવામાં નહીં આવે કે અકબર મહાનની ગાથા ભણાવવામાં આવશે. મહારાણા પ્રતાપથી મહાન કોઈ નથી, અકબર પણ નહીં. એટલું જ નહીં શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે, અકબરે ઘણા વર્ષો સુધી ભારતને લૂંટ્યું અને અકબર મહાન હોવાનું ભણાવતા લોકો હવે આગળ નહીં ભણાવી શકે. એવામાં રાજ્યમાં મહારાણા પ્રતાપ અને અકબરને લઈને ફરી એક વખત સંગ્રામ છેડાવાનું છે.

રવિવારે ઉદયપુરમાં આયોજિત 28માં રાજ્ય સ્તરીય ભામાશાહ સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી દિલાવરે અકબર મહાનને લઈને આ નિવેદન આપ્યું હતું. તેને લઈને હવે રાજકારણમાં ચર્ચા શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિવાલર અકબરને લઈને અગાઉથી જ નિવેદન આપતા રહ્યા છે. રવિવારે તેમણે પોતાની વાતનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે, એવા વ્યક્તિ કઇ રીતે મહાન હોય શકે છે કે જે મીના બજાર લગાવતી હતી અને મહિલાઓને ઉઠાવી લઈ જતા હતા.

દિલાવરે કહ્યું કે, જેમણે અકબરને મહાન બતાવ્યા, તેમની ગાથા ભણાવી, તેઓ મેવાડ અને રાજસ્થાનના દુશ્મન છે. હું શપથ લઈને કહું છું કે આગળ રાજસ્થાનમાં કોઈ પણ પુસ્તકમાં અકબરને મહાન રૂપે ભણાવવામાં નહીં આવે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં મુઘલ સમ્રાટ અકબરને બળાત્કારી પણ કહી દીધા હતા. તેમની આ ટિપ્પણી સરકારમાં બદલાવ બાદ શાળાના પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ સંશોધન બાબતે ચર્ચાના જવાબ કરવામાં આવી હતી.

દિલાવરે વધુમાં જણાવ્યું કે, ઘણા પાઠ્યપુસ્તકોમાં એમ કહેવામાં આવ્યું છે કે સાવરકર દેશભક્ત નહોતા. જ્યાં અકબરને એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે. તો શિવાજીને ‘પહાડી ઉંદર’ કહેવામાં આવે છે અને મહારાણા પ્રતાપની ભૂમિકા અકબરથી ઓછી છે. એવામાં નિવેદન સ્વીકાર્ય નથી અને તેમની સમીક્ષા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.