રામ મંદિર માટે વિદેશી દાન પણ સ્વીકારી શકશે ટ્રસ્ટ, મોદી સરકારે આપી મંજૂરી

હોમ મિનિસ્ટ્રીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે વિદેશથી દાન સ્વીકારવા માટે મંજૂરી આપી દીધી છે. મંદિર ટ્રસ્ટ તરફથી ઘણા સમયથી આ અંગે માગ કરવામાં આવી હતી કે, વિદેશી દાન સ્વીકારવા માટે મંજૂરી આપવામાં આવે, જેને સરકારે સ્વીકારી લીધી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રીના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ ડિપાર્ટમેન્ટ(FCRA)એ મંદિર નિર્માણ માટે સ્વૈચ્છિક અનુદાન માટે મંજૂરી આપી દીધી છે. ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ કોઈપણ સંસ્થા અથવા ટ્રસ્ટ વિદેશી દાન લાવી શકશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ હોમ મિનિસ્ટ્રીના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટર કર્યું છે અને 2010ના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. ચંપત રાયે એવું પણ જણાવ્યું હતું કે, કોઈપણ વિદેશી સ્ત્રોતથી આવનારા દાને ફક્ત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બ્રાન્ચના ખાતામાં સ્વીકાર કરવામાં આવશે.

3 વર્ષમાં રામ મંદિર બનાવવા 900 કરોડ ખર્ચાયા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો છે અને ટ્રસ્ટના બેન્ક ખાતામાં હજુ પણ રૂ. 30 અબજ એટલે કે 3000 કરોડ છે. ટ્રસ્ટના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

શનિવારે સવારે ટ્રસ્ટના અધિકારીઓની ત્રણ કલાકની બેઠક બાદ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, '5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણમાં રૂ. 900 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને રૂ. 3000 કરોડથી વધુ હજુ પણ ટ્રસ્ટના બેન્ક ખાતામાં પેન્ડીંગ છે.' રાયે જણાવ્યું હતું કે, મીટિંગમાં વિદેશી ચલણમાં દાન સ્વીકારવાની કાનૂની પ્રક્રિયા સહિત 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ટ્રસ્ટે FCRA (ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) હેઠળ પરવાનગી માટે અરજી કરી છે.

રાયે કહ્યું કે સરયુના કિનારે સ્થિત રામ કથા મ્યુઝિયમ એક કાનૂની ટ્રસ્ટ હશે અને તેમાં રામ મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજો રાખવામાં આવશે. ટ્રસ્ટે અપીલ કરી હતી કે, દેશભરના નાગરિકોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સૂર્યાસ્ત સમયે તેમના ઘરની સામે પાંચ દીવા પ્રગટાવવા જોઈએ.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પખવાડિયા પહેલા કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની સાથે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી લગભગ 10,000 મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.

રાયે કહ્યું કે, રામજન્મભૂમિના દરેક મુલાકાતીઓને પ્રસાદની સાથે ભગવાન રામની તસવીરો પણ વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે, લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યું છે કે, બે વર્ષમાં ભગવાન રામની તસવીર 10 કરોડ ઘરોમાં પહોંચે. રાયે કહ્યું કે, 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ભારતના 5 લાખ ગામડાઓમાં પૂજા અક્ષત (પૂજા કરાયેલા ચોખા)નું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અક્ષતને વહેંચીને વિવિધ વિસ્તારોના તેમના મંદિરોમાં તહેવારોની જેમ અયોધ્યાની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ પહેલા ભગવાન રામની સામે ચોખાની પૂજા કરવામાં આવશે અને પૂજા કરાયેલા ચોખા સમગ્ર ભારતમાં વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતભરના 50 કેન્દ્રોના કાર્યકરો અક્ષતને વિવિધ કેન્દ્રો પર લઈ જશે. તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ માટે ધાર્મિક સમિતિની રચના કરવામાં આવી છે. રાયે કહ્યું કે મંદિર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે અને અંતિમ નિર્માણ જાન્યુઆરી 2025 સુધીમાં પૂરું થશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.