રાઉત અડધી રાત્રે નડ્ડાને મળ્યા-ઉદ્ધવ DyCM ફડણવીસને, પક્ષ બદલવાની યોજનાનો દાવો

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે, રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં BJP ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બંને પક્ષોએ આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.

VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે, 'સંજય રાઉત 25 જુલાઈના રોજ '7 D મોતીલાલ માર્ગ' પર 'રાત્રે 2 વાગ્યે' JP નડ્ડાને મળ્યા હતા.' તેમણે કહ્યું, 'આ પછી, 5 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12 વાગ્યે, મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી.'

તેમણે કહ્યું, 'આ પછી 6 ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા.' મોકલેનું કહેવું છે કે, ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. VBAના પ્રવક્તા કહે છે, 'અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે, રાજ્યના અનામતવાદી મતદારો જાણે છે કે BJP અને તેના સાથી પક્ષો અનામતની વિરુદ્ધ છે, પરંતુ આ અનામતવાદી મતદારોએ શિવસેનાના ઉમેદવારો અને ઉદ્ધવ ઠાકરેને મત આપ્યો છે.'

તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષની રાજકીય ગતિવિધિઓને જોતા, જો કાલે કદાચ રાજ્યમાં કોઈ પ્રતિકૂળ ઘટના બને, તો અમે આ માહિતી એટલા માટે શેર કરીએ છીએ કે જેથી અનામત મતદારો પોતે છેતરાયા છે તેવો અનુભવ ન કરે.

ખાસ વાત એ છે કે, VBA દ્વારા આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-BJP અને NCP એટલે કે DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલો હતા કે VBA વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ આવું બન્યું ન હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.