રાઉત અડધી રાત્રે નડ્ડાને મળ્યા-ઉદ્ધવ DyCM ફડણવીસને, પક્ષ બદલવાની યોજનાનો દાવો

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે, રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં BJP ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બંને પક્ષોએ આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.

VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે, 'સંજય રાઉત 25 જુલાઈના રોજ '7 D મોતીલાલ માર્ગ' પર 'રાત્રે 2 વાગ્યે' JP નડ્ડાને મળ્યા હતા.' તેમણે કહ્યું, 'આ પછી, 5 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12 વાગ્યે, મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી.'

તેમણે કહ્યું, 'આ પછી 6 ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા.' મોકલેનું કહેવું છે કે, ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. VBAના પ્રવક્તા કહે છે, 'અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે, રાજ્યના અનામતવાદી મતદારો જાણે છે કે BJP અને તેના સાથી પક્ષો અનામતની વિરુદ્ધ છે, પરંતુ આ અનામતવાદી મતદારોએ શિવસેનાના ઉમેદવારો અને ઉદ્ધવ ઠાકરેને મત આપ્યો છે.'

તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષની રાજકીય ગતિવિધિઓને જોતા, જો કાલે કદાચ રાજ્યમાં કોઈ પ્રતિકૂળ ઘટના બને, તો અમે આ માહિતી એટલા માટે શેર કરીએ છીએ કે જેથી અનામત મતદારો પોતે છેતરાયા છે તેવો અનુભવ ન કરે.

ખાસ વાત એ છે કે, VBA દ્વારા આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-BJP અને NCP એટલે કે DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલો હતા કે VBA વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ આવું બન્યું ન હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.