રાઉત અડધી રાત્રે નડ્ડાને મળ્યા-ઉદ્ધવ DyCM ફડણવીસને, પક્ષ બદલવાની યોજનાનો દાવો

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે, રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં BJP ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બંને પક્ષોએ આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.

VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે, 'સંજય રાઉત 25 જુલાઈના રોજ '7 D મોતીલાલ માર્ગ' પર 'રાત્રે 2 વાગ્યે' JP નડ્ડાને મળ્યા હતા.' તેમણે કહ્યું, 'આ પછી, 5 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12 વાગ્યે, મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી.'

તેમણે કહ્યું, 'આ પછી 6 ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા.' મોકલેનું કહેવું છે કે, ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. VBAના પ્રવક્તા કહે છે, 'અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે, રાજ્યના અનામતવાદી મતદારો જાણે છે કે BJP અને તેના સાથી પક્ષો અનામતની વિરુદ્ધ છે, પરંતુ આ અનામતવાદી મતદારોએ શિવસેનાના ઉમેદવારો અને ઉદ્ધવ ઠાકરેને મત આપ્યો છે.'

તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષની રાજકીય ગતિવિધિઓને જોતા, જો કાલે કદાચ રાજ્યમાં કોઈ પ્રતિકૂળ ઘટના બને, તો અમે આ માહિતી એટલા માટે શેર કરીએ છીએ કે જેથી અનામત મતદારો પોતે છેતરાયા છે તેવો અનુભવ ન કરે.

ખાસ વાત એ છે કે, VBA દ્વારા આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-BJP અને NCP એટલે કે DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલો હતા કે VBA વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ આવું બન્યું ન હતું.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.