મનીષ સિસોદિયા ઈમાનદાર માણસ, BJPના દિગ્ગજ નેતાએ કર્યા વખાણ

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડ કેસમાં CBI દ્વારા ધરપકડ કરવા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વયોવૃદ્ધ નેતા શાંતા કુમારે સવાલ ઉઠાવ્યા છે. તેમણે મનીષ સિસોદિયા ઈમાનદાર અને ચોખ્ખી છબીવાળા નેતા બતાવતા ભરપેટ વખાણ કર્યા છે. તેમણે વિસ્તારથી લખેલી એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મનીષ સિસોદિયા ચોખ્ખી છબીવાળા શાનદાર કામ કરનારા નાયબ મુખ્યમંત્રીના રૂપમાં પ્રસિદ્ધ થયા, પરંતુ આજ તેઓ જ જેલાં બંધ છે.

શાંતા કુમારે જણાવ્યું કે, બંને તરફથી આરોપ લાગી રહ્યા છે. એ વિચારવું પણ ખૂબ મુશ્કેલ છે કે કોઈ ગુના વિના CBIએ મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા. મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રમાં સરાહનીય કામ કર્યું અને છતા પણ તેઓ કરપ્શનના કેસમાં જેલ ગયા છે. તેનાથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે ભ્રષ્ટાચારની જડ એટલી ઊંડી થઈ ગઈ છે કે સદાચારના સ્ટેશનથી ચાલતી ગાડી હવે ભ્રષ્ટાચારના સ્ટેશન પર પહોંચી રહી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, અંગત રીતે તો મનીષ સિસોદિયા ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે, પરંતુ પાર્ટી અને ચૂંટણી માટે ધન એકત્ર કરવા માટે આ બધુ કંઈક કર્યું હશે.

તેમણે કહ્યું કે, જો આ જ હકીકત છે તો દેશે ગંભીરતતા સાથે કેટલાક નિર્ણય લેવા પડશે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કેન્દ્રની ભાજપની નાક નીચે રાજધાની દિલ્હીમાં ભાજપને માઠી રીતે હરાવીને સરકાર બનાવી. 5 વર્ષ કામ કર્યું, પરંતુ ફરી સરકાર બનાવી. 11 વર્ષ પહેલા ભ્રષ્ટ્રાચાર વિરોધી આંદોલનથી જન્મેલી પાર્ટીની આ ખૂબ મોટી ઉપલબ્ધિ હતી. એ વાત પણ વિચારવા જેવી છે કે મનીષ સિસોદિયાના ઘરની તપાસ થઈ અને લૉકર પણ શોધવામાં આવ્યા, પરંતુ CBIને તપાસમાં કંઈ ન મળ્યું. કુલ મળીને તેમના પર એવો આરોપ છે કે એવી દારૂ નીતિ બનાવી જેથી વેપારીઓને લાભ થાય.

તેનાથી એ પરિણામ નીકળે છે કે મનીષ સિસોદિયા પોતે તો ઈમાનદાર છે, પરંતુ પાર્ટી અને ચૂંટણી માટે ધન એકત્ર કરવા માટે આ બધુ કર્યું હશે. તેમણે કહ્યું કે, 75 વર્ષની આઝાદી બાદ આજે ભારત ત્યાં પહોંચ્યું છે, જ્યાં આપણું લોકતંત્ર કળા ધન અને જુઠ્ઠાણાંથી શરૂ થાય છે. ચૂંટણી પર ખર્ચ થનારા કરોડો અબજ રૂપિયા માત્ર કાળું ધન હોય છે. પાર્ટીઓ મોટા મોટા બિઝનેસમેનો પાસેથી ધન લે છે. તે બિઝનેસમેન દાન આપતા નથી. સરકારની મદદથી ભ્રષ્ટાચાર દ્વારા પોતાના પૈસા પૂરા કરે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.