કર્ણાટકના સીએમનું કોકડુ કોંગ્રેસે ઉકેલ્યું, જાણો કોણ બનશે સીએમ, ડીકેનું શું થશે?

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પરિણામ સામે આવ્યાના લગભગ 4 દિવસ બાદ કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. પાર્ટીએ આજે 10 જનપથ પર બેઠક કર્યા બાદ નિર્ણય લીધો છે કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હશે. 18 મેના રોજ કાંટી રાવ સ્ટેડિયમમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ થશે. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે 10 મંત્રી શપથ લેશે. તો ડી.કે. શિવકુમાર રાહુલ ગાંધીને મળવા માટે 10 જનપથ પહોંચી ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ ડી.કે. શિવકુમાર પણ સરકારમાં સામેલ થઈ શકે છે. તેમને કોઈક મહત્ત્વપૂર્ણ પદ આપી શકાય છે અને પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા રહેશે.

તો કર્ણાટકમાં સિદ્ધારમૈયાના સમર્થક ખુશીથી ઝૂમી ઉઠયા છે. સિદ્ધારમૈયાના પોસ્ટરોને દૂધથી નવડાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવકુમારને કહ્યું કે, બલિદાન અને નિષ્ઠાનું પુરસ્કાર મળશે. બલિદાન અને વફાદારી બેકાર નહીં જાય. એક રિપોર્ટ મુજબ, ડી.કે. શિવકુમારને મહત્ત્વના મંત્રાલયો સાથે નાયબ મુખ્યમંત્રીના પદની ઓફર આપવામાં આવી છે. જો કે તેઓ તેના પર તૈયાર નથી. સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી છે.

સિદ્ધરામૈયા કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે. તેમને શરૂઆતથી જ મુખ્યમંત્રી પદ માટે ડી.કે. શિવકુમારથી વધારે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. તેમણે પોતાના રાજનૈતિક જીવનમાં 12 ચૂંટણી લડી છે, જેમાંથી 9 ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ આ અગાઉ વર્ષ 1994માં જનતા દળ સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા.

તેમની પ્રશાસનિક પકડ માનવામાં આવે છે. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારાનો કોઈ કેસ પણ નથી. જ્યારે શિવકુમાર વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે CBIની અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ડી.કે. શિવકુમાર અને અભિષેક મનુ સિંધવીના આગ્રહ પર સૂનાવણી ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટ કેસની સુનાવણી કરી રહી છે. જો CBI ઈચ્છે તો સુપ્રીમ કોર્ટના વેકેશન બેન્ચમાં આવી શકે છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.