જમાઈ ચંદ્રાબાબુ જેલમાં જતા સૌથી વધુ ખુશી સાસુને થઇ, જાણો કેમ?

આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની શનિવારે સવારે CIDની આર્થિક અપરાધ શાખાએ ધરપકડ કરી હતી. પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ પર આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 2014 અને 2019 વચ્ચે એટલે કે તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો આરોપ છે. 371 કરોડના આ કૌભાંડની તપાસ માટે તેમને બે અઠવાડિયા એટલે કે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ NTRની પત્ની લક્ષ્મી પાર્વતી લાંબા સમયથી તેમના જેલમાં જવાની રાહ જોઈ રહી હતી. ચંદ્રબાબુ નાયડુના જેલ જવાના સમાચાર મળતા જ તેની સાસુ લક્ષ્મી પાર્વતી ભારે ઉત્તેજનાથી રાત્રે ઊંઘી ન શક્યા. તેના એક દિવસ પછી, સોમવારે લક્ષ્મી પાર્વતીએ NTRની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે હુસૈન સાગર તળાવ ખાતે NTR માર્ગ પર NT રામારાવને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વિજયવાડા કોર્ટે કથિત કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેના એક દિવસ પછી આજે લક્ષ્મી પાર્વતી NTRની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. આ અગાઉ, પત્રકારો સાથે વાત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, 'વિજયવાડા કોર્ટના આદેશ પછી ભારે ઉત્સાહને કારણે તે ગઈકાલે રાત્રે સૂઈ શકી ન હતી. તે ઘણા લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી.' તેણે આગળ કહ્યું, 'હું ખુશ છું, કારણ કે મને ઘણા સમયથી લાગતું હતું કે, આ લોકોના કારણે અન્યાય ફેલાઈ રહ્યો છે, આખરે મેં થોડો ન્યાય જોયો.'

અહીં તમને જણાવી દઈએ કે, લક્ષ્મી પાર્વતી NTRની બીજી પત્ની છે. NTR અને પાર્વતીના લગ્ન 1993માં થયા હતા. જાન્યુઆરી મહિનામાં, પાર્વતીની એક ભવિષ્યવાણી ત્યારે ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ CM NTR જ્યારે 74 વર્ષના હતા ત્યારે તેમની પીઠમાં છરો મારવામાં આવ્યો હતો અને હવે વર્તમાન TDP વડા ચંદ્રબાબુ નાયડુના પણ તેવા જ હાલ થશે. હવે જ્યારે ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમની સાસુ લક્ષ્મી પાર્વતી ખૂબ જ ખુશ છે. તે વખતે YSRCP પાર્ટી ઓફિસમાં આયોજિત એક મીડિયા કોન્ફરન્સમાં બોલતા, લક્ષ્મી પાર્વતી નાયડુના વલણ પર ભારે પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.