મળ્યો પાણીમાં તરતો પથ્થર? ગામના લોકો કરવા લાગ્યા પૂજા? જાણો કેવી રીતે તરે છે

ત્રેતા યુગમાં રામયણકાળ દરમિયાન પાણીમાં તરતા પથ્થર બાબતે તમે સાંભળ્યું હશે, પરંતુ આજના સમયમાં પણ એક એવો પથ્થર મળ્યો છે, જે પાણીમાં તરી રહ્યો છે. આ તરતો પથ્થર સુરજપુર જિલ્લાના રાજાપુર ગામમાં મળ્યો છે. એક યુવક નદીમાં નાહવા ગયો હતો, ત્યારબાદ તેને નદીમાં તરતો પથ્થર દેખાડ્યો. ત્યારબાદ તેણે આ વાત ગ્રામજનોને જણાવી, ત્યારબાદ ગ્રામજનોએ પથ્થરને જોવા ગયા. લોકોને જ્યારે આ ચમત્કારિક પથ્થર બાબતે જાણકારી મળી તો તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ.

આમ આ જિલ્લામાં ભગવાન રામના વનવાસના ઘણા પૌરાણિક સ્થળ આવેલા છે. એવામાં ભગવાન રામની આસ્થા પણ અહીં ચરમ પર છે, પરંતુ તરતો પથ્થર મળ્યા બાદ તો આખું ગામ રામની ભક્તિમાં લીન થઈ ગયું છે. એવું નથી કે માત્ર રાજાપુર ગામ કે સૂરજપુર જિલ્લાનાઆ લોકો આ ચમત્કારિક પથ્થરને લઈને ઉત્સાહિત, આનંદિત છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના લોકો આ પથ્થરના દર્શન માટે આવી રહ્યા છે. લોકો આ પથ્થરના દર્શન સાથે સાથે તેની તસવીર પણ ખેચવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.

ગ્રામજનોના હાથમાં પથ્થરને જોઈને હેરાન રહી ગયા. ત્યારબાદ લોકોએ ત્યાં જ એક મોટા ડ્રમમાં પાણી ભરીને જ્યારે પથ્થરને નાખ્યો તો તે પાણીમાં ડૂબવાની જગ્યાએ ઉપર આવી ગયો. પથ્થરને જેટલી વખત પાણીની અંદર ધક્કો આપ્યો, તે ઉપર આવતો રહ્યો. ગ્રામજનોએ જણાવ્યું કે, પંડિતજીને જ્યારે ઉપરોક્ત પથ્થરને દેખાડ્યો તો તેમણે કહ્યું કે, તે પથ્થર રામ  સેતુનો છે, જે નદીમાં વહેતો અહી સુધી આવી ગયો છે. આ તો છે આસ્થાની વાત, પરંતુ પથ્થરો પાણી પર તરવાના કેટલાક વૈજ્ઞાનિક કારણ અને કેટલાક કારણો છે. આવો અમે આ આર્ટિકલમાં એ બાબતે પણ અવગત કરાવીએ.

પથ્થરનું તરવું ચમત્કારિક નથી!

પાણી પર તરતા પથ્થરને PUMICE STONE કહેવાય છે.

આ પથ્થર જ્વાળામુખીના લાવાથી બને છે.

લાવા જ્યારે ઠંડા થાય છે તો આ પથ્થર બને છે.

ઘનત્વ ઓછું હોય છે અને હજારો કાણાં હોય છે.

આ કાણાંમાં હવા ભરાયેલી રહે છે, હલકા હોય છે. સ્પંજ કે ડબલ રોટલી જેવા દેખાય છે આ પથ્થર

રામેશ્વરમ અને મહારાષ્ટ્રમાં પણ મળે છે આ પથ્થર.

ન્યૂઝીલેન્ડ, ફીઝી, ન્યૂ સેલોડોનિયા અને ક્ચિન્સલેન્ડમાં પણ ઉપસ્થિત છે.

About The Author

Related Posts

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.