સબ ઇન્સ્પેક્ટર બન્યો લૂંટારો, એન્કાઉન્ટરની ધમકી આપીને વેપારી પાસે લૂંટ્યા 1 કરોડ

On

ચંદીગઢથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક એડિશનલ SHOએ પંજાબના એક મોટા વેપારીને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસે એક કરોડ રૂપિયા લૂંટી લીધા. જ્યારે વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી તો આરોપીએ પોતાના પ્રભાવથી કેસ ન નોંધાવા દીધો, પરંતુ જ્યારે કેસ SSP સુધી પહોંચ્યો તો આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. હવે તેના જ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આરોપી સબ ઇન્સ્પેક્ટર અને તેના અન્ય સાથીઓ પર લૂંટ અને અપહરણની કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ કેસ ડકેતી, લૂંટ અને જીવથી મારવાની ધમકીનો છે. એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના અન્ય સાથીઓએ 2 હજાર રૂપિયાની નોટ બદલવાના નામ પર બંઠિડાના વેપારીનું અપહરણ કર્યું અને 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો અને સાથે જ જીવથી મારવાની ધમકી પણ આપી.

ફરિયાદકર્તા SSP કંવરદીપ સુધી પહોંચ્યો અને જણાવ્યું કેમ SHO નવીન ફોગાટ અને તેની ટીમે તેની પાસે 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેને જીવથી મારવાની ધમકી પણ આપી. એમ પણ કહેવામાં આવ્યું કે, નવીન ફોગાટ અધિકારીઓ સામે જ પોલીસ સ્ટેશનથી ફરાર થઈ ગયો કેમ કે DSPના કહેવા પર ફરિયાદકર્તાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેણે નવીન ફોગાટને ઓળખી લીધો અને નવીન તેને બહાર લઇને ગયો અને તેની સાથે સમજૂતી કરવાની વાત કહી.

જો કે, ફરિયાદકર્તા ન માન્યો અને તેના તુરંત બાદ નવીન ફોગાટ ત્યાંથી ફરાર થઈ ગયો. આ દરમિયાન DSP ચરણજીતે આદેશ આપ્યા અને એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના ત્રણ અજાણ્યા પોલીસકર્મી સાથી, ઈમિગ્રેશન કંપની સર્વેશ, ગિલ, જતિન્દર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં બધા આરોપી ફરાર છે. એડિશનલ SHO નવીન ફોગાટને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. DSP ચરણજીત સિંહ આ કેસની તપાસ કરી રહ્યા છે.

પોલીસે લૂંટેલી 75 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેસની પૂરી તપાસ બાદ જ આ રકમ ફરિયાદકર્તાને પરત કરવામાં આવશે. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓની પણ ભૂમિકા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ અગાઉ પણ આરોપી એડિશનલ SHO નવીન પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ત્યારે તે સાઇબર સેલમાં હતો. આ કેસમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ જ તેણે રેપ કેસમાંથી મુક્ત થયા બાદ ફરી ડ્યૂટી જોઇન્ટ કરી હતી.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.