સબ ઇન્સ્પેક્ટર બન્યો લૂંટારો, એન્કાઉન્ટરની ધમકી આપીને વેપારી પાસે લૂંટ્યા 1 કરોડ

ચંદીગઢથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક એડિશનલ SHOએ પંજાબના એક મોટા વેપારીને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસે એક કરોડ રૂપિયા લૂંટી લીધા. જ્યારે વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી તો આરોપીએ પોતાના પ્રભાવથી કેસ ન નોંધાવા દીધો, પરંતુ જ્યારે કેસ SSP સુધી પહોંચ્યો તો આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. હવે તેના જ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આરોપી સબ ઇન્સ્પેક્ટર અને તેના અન્ય સાથીઓ પર લૂંટ અને અપહરણની કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ કેસ ડકેતી, લૂંટ અને જીવથી મારવાની ધમકીનો છે. એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના અન્ય સાથીઓએ 2 હજાર રૂપિયાની નોટ બદલવાના નામ પર બંઠિડાના વેપારીનું અપહરણ કર્યું અને 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો અને સાથે જ જીવથી મારવાની ધમકી પણ આપી.

ફરિયાદકર્તા SSP કંવરદીપ સુધી પહોંચ્યો અને જણાવ્યું કેમ SHO નવીન ફોગાટ અને તેની ટીમે તેની પાસે 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેને જીવથી મારવાની ધમકી પણ આપી. એમ પણ કહેવામાં આવ્યું કે, નવીન ફોગાટ અધિકારીઓ સામે જ પોલીસ સ્ટેશનથી ફરાર થઈ ગયો કેમ કે DSPના કહેવા પર ફરિયાદકર્તાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેણે નવીન ફોગાટને ઓળખી લીધો અને નવીન તેને બહાર લઇને ગયો અને તેની સાથે સમજૂતી કરવાની વાત કહી.

જો કે, ફરિયાદકર્તા ન માન્યો અને તેના તુરંત બાદ નવીન ફોગાટ ત્યાંથી ફરાર થઈ ગયો. આ દરમિયાન DSP ચરણજીતે આદેશ આપ્યા અને એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના ત્રણ અજાણ્યા પોલીસકર્મી સાથી, ઈમિગ્રેશન કંપની સર્વેશ, ગિલ, જતિન્દર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં બધા આરોપી ફરાર છે. એડિશનલ SHO નવીન ફોગાટને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. DSP ચરણજીત સિંહ આ કેસની તપાસ કરી રહ્યા છે.

પોલીસે લૂંટેલી 75 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેસની પૂરી તપાસ બાદ જ આ રકમ ફરિયાદકર્તાને પરત કરવામાં આવશે. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓની પણ ભૂમિકા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ અગાઉ પણ આરોપી એડિશનલ SHO નવીન પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ત્યારે તે સાઇબર સેલમાં હતો. આ કેસમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ જ તેણે રેપ કેસમાંથી મુક્ત થયા બાદ ફરી ડ્યૂટી જોઇન્ટ કરી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.