નરેન્દ્ર મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે: BJP નેતા

ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હરિયાણાના નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તે પૂરી રીતે પ્રશાસનિક નિષ્ફળતાનું પરિણામ છે. હિન્દુત્વનો ઊભાર નથી. એક વેબસાઇટના સંપાદક સાથે વાતચીત કરવા દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે, શું અયોધ્યાના રામ મંદિર આંદોલન બાદ હિન્દુત્વનો જે ઊભાર થયો, તેનાથી હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ નબળું થયું?

તેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, નહીં.’ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પણ વિદેશ અને આર્થિક મોરચા પર પૂરી રીતે નિષ્ફળ બતાવી. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરશે, પરંતુ નરેન્દ્ર મોદી માટે નહીં. તેમણે એ પણ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ 2024ની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં. તેમણે કહ્યું કે, એ અત્યારે નહીં કહી શકાય કેમ કે આ નિર્ણય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કરશે. અત્યારે આ બાબતે કોઇ નિર્ણય થયો નથી અને RSS પોતાનો નિર્ણય પહેલાથી બતાવતું પણ નથી. એટલે ભાજપ બહુમતમાં આવવા છતા નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું નક્કી નથી.

સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ હાલમાં જ જે કહ્યું કે તેના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, એ વાતની સંભાવનામાં કેટલો દમ છે? તેના જવાબમાં તેઓ બોલ્યા કે જો સાચી દિશામાં અને યોગ્ય નીતિઓ સાથે ચાલવામાં આવે તો અમેરિકા બાદ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તેમાં એ ધ્યાન આપવાની વાત છે કે તેઓ વર્ષ 2024 લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં એ અત્યારે નક્કી નથી.

સ્વામીને પૂછવામાં આવ્યું કે બે મહત્ત્વના મુદ્દા (અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ) પર જ્યારે તમે મોદી સરકારને પૂરી રીતે નિષ્ફળ બતાવી રહ્યા છો તો વર્ષ 2019માં બીજી વખત કેવી રીતે તેમના નામ પર ભાજપને બહુમત મળી ગયો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, વોટ હિન્દુત્વના નામ પર મળ્યા. ભાજપમાં હિન્દુત્વ માટે સમર્પિત નેતા અને કાર્યકર્તા છે. તેના પર પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી હિન્દુત્વ માટે સમર્પિત નથી. સ્વામીએ જવાબ આપ્યો કે મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.