મોદી સરનેમ કેસમાં આ તારીખે થશે સુનાવણી, SCની ગુજ. સરકાર અને પૂર્ણેશ મોદીને નોટિસ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરીને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકાર અને કેસના ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીને નોટિસ મોકલી છે. રાહુલ ગાંધીનો પક્ષ રાખનારા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે સજાના નિર્ણય પર અથવા તો રોક લગાવવામાં આવે કે પછી જલદી સુનાવણી થાય. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સજા સંભળાવ્યા વિના નિર્ણય પર રોક નહીં લગાવી શકાય.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ તરફથી આ નોટિસ જાહેર કરવામાં આવી. કોર્ટે 10 દિવસમાં જવાબ આપવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટના રોજ આગામી સુનાવણીની તારીખ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સ્તર પર સીમિત પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ રદ્દ કરવા યોગ્ય છે? તો સુનાવણી પૂર્વે કેસની સુનાવણી કરનારા બે ન્યાયાધીશોમાંથી જસ્ટિસ બી.આર. ગવઈએ પોતાને કેસથી અલગ કરી લીધા હતા. તેમણે આ નિર્ણય પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, ‘મને પરેશાની છે, મારા પિતા 40 વર્ષ કરતા વધુ સમય સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. મારા ભાઈ અત્યારે પણ રાજનીતિમાં છે.’

રાહુલ ગાંધી તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંધવીએ 18 જુલાઇએ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠ અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને 21 કે 24 જુલાઇના રોજ સૂચિબદ્ધ કરનાનો અનુરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇના એ નિર્ણયને પડકાર આપ્યો છે, જેમાં કોર્ટે દોષસિદ્ધિ (2 વર્ષની સજા) પર રોક લગાવવાના અનુરોધ કરનારી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, જો હાઇ કોર્ટના નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તે લોકતાંત્રિક સંસ્થાઓને વ્યવસ્થિત રીતે, વારંવાર નબળી કરશે અને તેના પરિણામસ્વરૂપ લોકતંત્રનો શ્વાસ રૂંધાઈ જશે, જે ભારતના રાજનીતિક માહોલ અને ભવિષ્ય માટે ગંભીર રૂપે હાનિકારક હશે. અત્યંત સન્માનપૂર્વક એ દલીલ આપવામાં આવે છે કે જો વિવાદિત નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તેનાથી સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર નિવેદનનો શ્વાસ રૂંધાઈ જશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.