મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહતની ખબર

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું હતું કે, કોર્ટે વધુમાં વધુ સજા આપવા માટે કયા કારણો આપ્યા છે. તેનાથી પણ ઓછી સજા આપી શકાઈ હોત. જેના કારણે સંસદીય ક્ષેત્રના લોકોના અધિકારો પણ અકબંધ રહેશે. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના જજનો આદેશ વાંચવો ખૂબ જ રસપ્રદ છે. આમાં તેમણે ઘણા ઉપદેશ આપ્યા છે. તે જ સમયે, સોલિસિટર જનરલે કહ્યું કે મારે કહેવું જોઈએ કે ઘણી વખત કારણો ન આપવાને કારણે સુપ્રીમ કોર્ટની ટીકા થાય છે, તેથી જ હાઈકોર્ટ વિગતવાર કારણો આપે છે. આવી ટિપ્પણીઓ થોડી નિરાશાજનક હોઈ શકે છે.

ન્યાયાધીશ ગવઈએ કહ્યું, અમે જાણીએ છીએ કે ટિપ્પણીઓ નિરાશાજનક હોઈ શકે છે, તેથી જ અમે તેને લખવામાં સમય લઈએ છીએ, સિવાય કે તે ખૂબ સ્પષ્ટ હોય. આ કોર્ટે તેમને સમય આપ્યો છે. તો બીજી તરફ રામ જેઠમલાણીએ કહ્યુ કે, રાહુલ ગાંધીની દલીલ છે કે તેમનો બદનામ કરવાનો કોઇ ઇરાદો નહોતો. જસ્ટિસ ગવઇએ કહ્યુ કે, અમે એ પુછી રહ્યા છે કે વધારેમાં વધારે સજા કરવાના કારણો કયા હતા? જો તેમને 1 વર્ષ 11 મહિનાનો સમય આપ્યો હતે તો કોઇ અયોગ્યતા નહીં કહેવાતે.

રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના દિવસે ચૂંટણી સભામાં કહ્યું હતુ કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનમે કોમન કેમ છે? બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી રેલીમાં કથિત રીતે મોદી સમાજનું અપમાન કર્યું છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યુ કે,આ નફરત સામે પ્રેમની જીત છે. સત્યમેવ જયતે, જય હિન્દ. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની ટિપ્પણી  ગૂડ ટેસ્ટમાં નહોતી.તેમનું નિવેદન સાચું ન હતું. જાહેર જીવનમાં આ બાબતે  તેમણે સાવધાન રહેવું જોઈએ. સાથે જ કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં એ સ્પષ્ટ નથી કર્યું કે મહત્તમ સજાની જરૂર કેમ છે? ન્યાયાધીશે મહત્તમ સજાનું કારણ સમજાવવું જોઈએ. આ કેસ નોન-કોગ્નિઝેબલ કેટેગરીમાં આવે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.