‘PM મોદી પાસે ભારત માટે આગામી 1000 વર્ષોનું વિઝન’, સ્વામી અવધેશાનંદે PMને ગણાવ્યા મહાપુરુષ

જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની યાત્રા દરમિયાન ભારતની પ્રગતિ માટેના દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીની પ્રાથમિકતામાં આગામી 1000 વર્ષો માટે ભારતની સમૃદ્ધિ સામેલ છે. તેઓ મહાપુરુષ છે. વડાપ્રધાન મોદીએ ગુડી પડવાના અવસર પર રવિવારે RSS મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન તરીકેની વડાપ્રધાન મોદીની RSS મુખ્યલયમાં આ પહેલી મુલાકાત હતી. અટલ બિહારી વાજપેયી બાદ સંઘના મુખ્યાલય જનારા તેઓ બીજા વડાપ્રધાન પણ બન્યા. સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે, 'વડાપ્રધાને ભારતને આગામી 1,000 વર્ષો માટે તૈયાર કરવાની વાત કરી, જેથી તેની શક્તિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય.'

શું બોલ્યા જૂના અખાડાના મહામંડલેશ્વર?

તેમણે ભારતીય સંસ્કૃતિના કલ્યાણકારી પહેલુઓ પર ભાર મૂક્યો, ખાસ કરીને 'વસુધૈવ કુટુંબકમ'ની વિચારધારા પર. તેમણે કહ્યું કે, તે સદીઓથી માનવતાને કલ્યાણ તરફ માર્ગદર્શિત કરતી રહી છે ('વસુધૈવ કુટુંબકમ'ની વિચારધારા). વડાપ્રધાને RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર અને દ્વિતિય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની શિક્ષાઓને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીની શાસન શૈલી પર ચર્ચા કરતા, સ્વામી અવધેશાનંદે ઈન્ટરનેટ મીડિયા પર પ્રસારિત એક વીડિયોનો ઉલ્લેખ કર્યો, જેમાં વડાપ્રધાન મોદી RSSના પ્રમુખ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા વખતે હસતા જોવા મળી રહ્યા છે.

swami-avdheshanand-giri2
organiser.org

 

વડાપ્રધાનના સ્મિત પાછળનું કારણ જણાવતા સ્વામીએ કહ્યું કે, 'જ્યારે હું તેમની પ્રશંસા કરી રહ્યો હતો, ત્યારે તેઓ બસ હસવા લાગ્યા. તેમણે અમારી પ્રશંસાનો સ્વીકાર ન કર્યો. તેની જગ્યાએ તેમણે તેને ઇશ્વરીય આશીર્વાદનું પરિણામ ગણાવ્યું. તેઓ વાસ્તવમાં માને છે કે, જે કંઈ પણ તેમણે હાંસલ કર્યું છે તે તેમની મહેનતનું પરિણામ નથી, પરંતુ ભગવાનની કૃપાનું પરિણામ છે.

મહામંડલેશ્વરે વડાપ્રધાન મોદીની વિનમ્રતાની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે રાષ્ટ્રની ભલાઇ માટે પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું. તેમનામાં અહંકારનું કોઈ નામોનિશાન નથી. તેઓ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા, મિલનસાર છે અને ભારતની સંસ્કૃતિને પરિભાષિત કરનારા મૂલ્યો સાથે ઊંડાણથી જોડાયેલા રહ્યા. તેઓ એક મહાપુરુષ છે, છતા પણ ખૂબ જ વિનમ્ર છે. રાષ્ટ્રનું નેતૃત્વ કરતા સાદગીમાં રહેવાની તેમની ક્ષમતા અજોડ છે.

swami-avdheshanand-giri
ibc24.in

ગાય જ્યાં રહે છે તે જગ્યાને અસ્વચ્છ કહેનારા વિપક્ષની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સ્વામી અવધેશાનંદે કહ્યું કે, મોદીએ ગાયને માતાનો દરજ્જો આપવા પર ભાર આપ્યો છે. તેમનું કહેવું છે કે, તે ન માત્ર ભારત, પરંતુ સમગ્ર વિશ્વ માટે લાભકારી છે. સ્વામીએ વિપક્ષની નિંદા કરતા કહ્યું કે, તેઓ દેશના ઐતિહાસિક વ્યક્તિત્વોનું અપમાન કરી રહ્યા છે. તેમણે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગાને ગદ્દાર કહેવાની ટિપ્પણી પર સખત નિંદા કરી અને કહ્યું કે, ભારત પોતાના સાચા નાયકોનું અપમાન ક્યારેય સહન નહીં કરે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.