વરરાજો લગ્નમાં ઓછા ઘરેણા લાવેલો, કન્યાએ વરમાળાથી આગળની વિધિ ન કરી અને...

લગ્નમાં દહેજ માંગવું એ કાયદેસર ગુનો છે. બધા જાણે છે. પરંતુ દહેજ પ્રથા આજે પણ ચાલુ છે. દૂરના અંદરના ગામડાઓમાં દહેજ પ્રથા પહેલા જેવી જ છે. શહેરોમાં ગિફ્ટના નામે આ પરંપરા ચાલી રહી છે. દરરોજ એવા સમાચાર જોવા અને વાંચવા મળે છે કે, નારાજ વર કે વરપક્ષના લોકોએ દહેજ ન આપવા અથવા ઓછુ દહેજ મળવાને કારણે લગ્નની જાનને પછી લઇ ગયા. પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં કથિત રીતે ઓછા દાગીના મળતા નારાજ દુલ્હનએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ મામલો કાનપુર દેહાતના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના રહેવાસી કૃષ્ણ મુરારીના લગ્ન બનવારીપુર ગામના રહેવાસી શ્યામ નારાયણની પુત્રી સાથે નક્કી થયા હતા. લગ્ન માટે 30 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મીડિયાના સૂત્રો પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર, કૃષ્ણ મુરારીના લગ્નની જાન દુલ્હનના ઘરે પહોંચી હતી. વરમાળા સુધીની વિધી પણ કરવામાં આવી હતી. આરોપ છે કે, આ પછી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. કૃષ્ણા મુરારીએ આ વિશે મીડિયાને કહ્યું કે, 'હું કોઈ પણ જાતના દહેજની લેવડદેવડ વિના છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. અમે જાન લઈને આવ્યા હતા. અમારું સ્વાગત પણ કરવામાં આવ્યું. વરમાળાની વિધી પણ થઇ. કન્યાને ચડાવવાના સમયે દાગીના આપવામાં આવ્યા હતા. પરંતુ કન્યા પક્ષે ઘરેણાં જોઈને તેનો વિરોધ કર્યો હતો, અને કહ્યું કે અમે લગ્ન કરવા નથી માંગતા.'

રિપોર્ટ અનુસાર, 1 મેના રોજ બંને પક્ષો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસના સમજાવવા છતાં પણ કામ ન થયું અને વરરાજાને કન્યા વિના તેની જાન પછી લઇ જવી પડી હતી. ત્યાર પછી બંને પક્ષોને સમાધાન માટે ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. લગ્નમાં વરરાજાના પરિવાર દ્વારા આપવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે. છોકરાના પિતા લાલારામે મીડિયાને કહ્યું, 'તે તેના પુત્રના લગ્ન માટે છોકરીને જોવા ગયો હતો. ત્યાર બાદ ખોળો ભરવાની વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી યુવતીના માતા-પિતાએ લગ્નની તારીખ આગળ વધારવા માટે કહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ અમે જાનને લઈને જવાની તૈયારી કરી લીધી હતી એટલે અમે 30 એપ્રિલે જ જાન લઈને ત્યાં પહોંચ્યા હતા. લગ્નના દિવસે યુવતીપક્ષનાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ આપી હતી. તેમ કહીને કે, અમે દહેજની માંગણી કરી છે. અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. અમે દહેજ વગર લગ્ન કરવા આવ્યા છીએ તે અંગે અમે પોલીસને જણાવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, છોકરાવાળાઓએ ઘરેણાંમાં ટોપ્સ, વીંટી, બંગડીઓ, વિછિયા, 2000 રૂપિયા, નાકની નથડી, અને મંગળસૂત્ર આપ્યાં હતાં. સમજૂતી બાદ બંને પક્ષોને પરત મોકલી આપવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.