જોશીમઠમાં અસુરક્ષિત મકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ

ઉત્તરાખંડના જોશીમઠમાં રોજ પસાર થતાં દિવસોની સાથે જમીન ધસી જવાને કારણે ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે, આવી સ્થિતિમાં ચમોલી જિલ્લા વહિવટી તંત્રએ મકાનોનું ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ ઝડપી કર્યું છે. આ સાથે મકાનોમાં રહેતા પરિવારોને ત્યાંથી હટાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. સાથે જ જે ઈમારતો અસુરક્ષિત બની ગઈ છે તેને તોડી પાડવાની ઝુંબેશ આજથી એટલે કે મંગળવારથી શરૂ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ ડૉ.એસ.એસ. સંધુએ અસુરક્ષિત ઈમારતોને તોડી પાડવા સૂચના આપી છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ આ કામ પૂર્ણ કરવામાં આવશે. અસુરક્ષિત ઇમારતો પર રેડ માર્કિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા મલારી ઇન અને માઉન્ટ વ્યૂ હોટેલને તોડી પાડવામાં આવશે. આ માટે મજૂરો, બે જેસીબી, મોટી ક્રેન અને બે ટ્રકને સ્થળ પર હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ બંને હોટેલના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પછી જ પ્રશાસને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતોને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ માટે ખાસ મિકેનિકલ ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. આ કામને એક એક્સપર્ટ ટીમની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદ અને ભારે હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્રની ટીમ શક્ય તેટલી વહેલી તકે અસુરક્ષિત મકાનોને તોડી પાડવા માંગે છે. તો કોઈપણ રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે એનડીઆરએફની એક ટીમ તૈયાર રાખવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને અસુરક્ષિત 200થી વધુ ઘરો પર લાલ નિશાન લગાવ્યું છે. તેણે આ મકાનોમાં રહેતા લોકોને કાં તો અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવા અથવા ભાડાના મકાનોમાં સ્થળાંતરિત થવા માટે કહ્યું છે. આ માટે દરેક પરિવારને આગામી છ મહિના સુધી રાજ્ય સરકાર તરફથી 4000 રૂપિયાની માસિક સહાય મળશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ચમોલીના એક બુલેટિન મુજબ, જોશીમઠમાં સોમવારે વધુ 68 ઘરોમાં તિરાડો જોવા મળી હતી, ત્યારબાદ જમીન ધસી જવાથી પ્રભાવિત ઘરોની સંખ્યા વધીને 678 થઈ ગઈ છે, તો 27 વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 82 પરિવારોને નગરમાં સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.