સ્વાભિમાન લગ્ન શું છે? સુપ્રીમ કોર્ટે તેને કેમ માન્યતા આપી

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, જીવન સાથી પસંદ કરવો એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7A હેઠળ, સ્વાભિમાન લગ્ન અથવા સુયમરિયાથાઈ લગ્નની ઉજવણી કરવા માટે કોઈ જાહેર સમારંભ અથવા તેની જાહેરાત કરવાની જરૂર નથી.

આ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના 2014ના નિર્ણયને પલટી નાખ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2014માં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલો દ્વારા કરવામાં આવેલા લગ્નને માન્ય ગણવામાં આવશે નહીં. મદ્રાસ હાઈકોર્ટે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્નને માન્ય ગણવાનો ઈન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરતા 29 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમિલનાડુમાં સંશોધિત હિંદુ મેરેજ એક્ટ હેઠળ વકીલો પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્ન કરાવી શકે છે. આ મામલાની સુનાવણી કરતા S. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેંચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, વકીલો કોર્ટના ઓફિસર તરીકે લગ્ન કરાવી શકતા નથી. તેના બદલે, યુગલને વ્યક્તિગત રીતે જાણવાના આધારે, તે કાયદાની કલમ 7A હેઠળ લગ્ન કરાવી શકે છે.

તમિલનાડુ સરકારે વર્ષ 1968માં સુયમરિયાથાઈ લગ્નોને કાયદેસર બનાવવા માટે કાયદાની જોગવાઈઓમાં સુધારો કર્યો હતો. આ લગ્નનો હેતુ કોઈપણ લગ્નની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. આ લગ્નનો હેતુ લગ્ન પ્રણાલીને બ્રાહ્મણ પૂજારીઓની ચુંગાલમાંથી મુક્ત કરવાનો હતો. વર્ષ 1968માં, હિંદુ મેરેજ એક્ટ 1995 (સુધારો) વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કલમ 7A ઉમેરવામાં આવી હતી. આ કલમ હેઠળ સ્વાભિમાન લગ્નને માન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

સ્વાભિમાન લગ્ન બે લોકોને કોઈપણ રીત રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે. અહીં તમને જણાવી દઈએ કે, આવા લગ્નોને કાયદેસર રીતે રજીસ્ટર કરાવવા પણ જરૂરી છે. આવા લગ્નથી લોકોના પૈસા રિવાજો અને ધાર્મિક વિધિઓમાં વેડફાતા નથી.

સમાજ સુધારક અને નેતા પેરિયાર E.V. રામાસ્વામીએ 1925માં તમિલનાડુમાં સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય જાતિના ભેદભાવને દૂર કરવાનો અને સમાજમાં રહેલા નીચલી જાતિના લોકોને સન્માન આપવાનો હતો. સ્વાભિમાન ચળવળમાંથી સ્વાભિમાન લગ્ન નીકળીને બહાર આવ્યા. વર્ષ 1928માં પ્રથમ સ્વાભિમાન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન લગ્નમાં, કોઈપણ ધર્મ અને જાતિના લોકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.