શું છે BJPની સતત અને જંગી જીતનું રહસ્ય? PM મોદીએ પોતે જણાવ્યું

પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડમાં જીત અને મેઘાલયમાં ધાર્યા કરતા વધુ સારા પ્રદર્શન બાદ દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ખુશ છે. ભાજપના હાઈકમાન્ડથી લઈને નીચે સુધીના કાર્યકરોએ જોરશોરથી જીતની ઉજવણી કરી. આ જીતની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં ઉજવવામાં આવ્યો. આ ઉજવણીમાં ખુદ PM મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો. અહીં PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપની સતત જીતનું રહસ્ય પણ જણાવ્યું.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીની સતત જીતનું રહસ્ય શું છે? આજે આ અવસર પર હું જણાવવા માંગુ છું કે આપણી જીતનું રહસ્ય ત્રિવેણીમાં છુપાયેલું છે. તેમણે કહ્યું કે ત્રિવેણી એટલે ત્રણ પ્રવાહોનો સંગમ. ત્રણ પ્રવાહના સંગમથી ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે શક્તિઓ છે, જેમાં પ્રથમ શક્તિ ભાજપ સરકારોના કામ અને વિકાસ યોજનાઓ છે. આમાં બીજી તાકાત છે આપણું વર્ક કલ્ચર. આ સિવાય આપણી ત્રીજી શક્તિ ખૂબ જ મજબૂત અને મહત્ત્વપૂર્ણ છે. આપણી ત્રીજી શક્તિ આપણા કાર્યકરો અને પક્ષ અને દેશ પ્રત્યેની તેમની સેવા છે. આ ત્રણેય શક્તિઓ સાથે મળીને કામ કરે છે અને ચૂંટણીમાં આપણને જીત અપાવે છે.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે કેટલાક કટ્ટરપંથીઓ મારી કબર ખોદવાની વાત કરે છે. તેઓ મને મારવાની વાત કરી રહ્યા છે, પરંતુ આજના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે આખા દેશમાં મોદીનું કમળ ખીલી રહ્યું છે. આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો 'મર જા મોદી-મર જા મોદી' કહી રહ્યા છે, પરંતુ આજે દેશ કહી રહ્યો છે કે 'મત જ મોદી-મત જા મોદી'.

PM મોદીએ કહ્યું કે અગાઉની સરકારો માત્ર સમસ્યાને ટાળતી હતી. તેઓએ સમસ્યાઓ તરફ નજર પણ કરી ન હતી, પરંતુ ભાજપે નીતિ બદલી છે. અમારી સરકારે મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે જનતાની સમસ્યાઓ અને દુ:ખ ભાજપને દેખાતું નથી. જનતાની મુશ્કેલીઓ જોઈને અમને ઊંઘ નથી આવતી અને અમે તેમનાથી મોં ફેરવી નથી લેતા, પરંતુ તેને દૂર કરવા માટે મુશ્કેલથી મુશ્કેલ પગલાં લઈએ છીએ.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.