BJPએ મુસ્લિમ નેતા રિકમન મોમિનને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ, જાણો તેમના વિશે

ભાજપાએ પોન્ડીચેરી, મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. મુસ્લિમ નેતા રિકમન મોમિનને મેઘાલય ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને એસ સેલ્વગનબથીને પોન્ડીચેરીના ભાજપાની કમાન સોંપવામાં આવી છે. બેંજામિન યેપથોમીને ભાજપા નાગાલેન્ડના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. રિકમન મોમિનને વર્ષ 2022માં ભાજપાએ મેઘાલયની તુરા લોકસભા સીટથી પાર્ટી ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી.

ભાજપાએ સોમવારે 3 રાજ્યોમાં મોટો ફેરફાર કરતા કેપ્ટનોને બદલ્યા છે. પોન્ડીચેરીની કમાન સેલ્વગનબથીને સોંપવામાં આવી છે. બેંજામિન યેપથોમીને નાગાલેન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. તો મુસ્લિમ નેતા રિકમન મોમિનને મેઘાલયની કમાન આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ નિમણૂકનો આદેશ બહાર પાડ્યો છે.

કોણ છે રિકમન મોમિન

ભાજપાએ જે મુસ્લિમ નેતા રિકમન મોમિનને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની કમાન સોપી છે, તેમની દિલ્હીના નેતાઓમાં જબરદસ્ત પકડ માનવામાં આવે છે. 2022માં ભાજપાએ મેઘાલયની તુરા લોકસભા સીટથી મોમિનને પાર્ટી ઉમેદવારના રૂપમાં ટિકિટ આપી હતી. રિકમન મોમિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જબરદસ્ત પ્રશંસક છે. વ્યવસાયે વેપારી રિકમન મોમિન મીડિયામાં ઘણીવાર કહી ચૂક્યા છે કે વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇને તેમણે રાજકારણમાં પગ મૂક્યો છે.

માવરી સામે પાર્ટીમાં અસંતોષ

મેઘાલયમાં આટલો મોટો બદલાવ મેઘાલય ભાજપાના પૂર્વ પ્રમુખ અર્નેસ્ટ માવરીના એક નિવેદનના થોડા દિવસો પછી આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ આ વાત પર નિર્ણય લેશે કે તેમણે પદ પર રહેવું જોઇએ કે નહીં. તેમણે કહ્યું હતું કે, મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. માવરીએ કહ્યું હતું કે, હું આને આગળ રાખીશ કે બંધ કરીશ તેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે.

મારવીએ પત્રકારોને આ વાત ભાજપા ધારાસભ્ય એએલ હેકના એ નિવેદનના જવાબમાં કહી જેમાં તેમણે કહ્યું હતું કે, માવરીને પ્રદેશ અધ્યક્ષના પદેથી હટાવી શકાય છે.

ખેર, ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી હેડક્વાટરના ઈન્ચાર્જ અરુણ કુમાર સિંહે સોમવારે 3 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલવાનો આદેશ બહાર પાડ્યો. આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે જેને લઇને આ નિમણૂકોને રાજ્યોના રાજકારણમાં મોટો ફેરબદલ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીને આશા છે કે આનાથી તેમને આવનારી લોકસભાની ચૂંટણીમાં મદદ મળશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.