ગુજરાતની યાદ અપાવીને તેજસ્વી યાદવે ભાજપ સામે કેમ ભડાશ કાઢી?

બિહારમાં નવું હેલિકોપ્ટર અને જેટ વિમાનની ખરીદીને લઇને જબરદસ્ત રાજકારણ ગરમાયેલું છે. ભાજપના સાંસદ અને  પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ નવા વિમાનની ખરીદીને પ્રજાના પૈસાનો દુરપયોગ હોવાનું નિવેદન આપ્યું હતું. પહેલાં નીતિશ કુમાર અને હવે તેજસ્વી યાદવે આનો જવાબ આપ્યો છે.

બિહારની નીતિશ સરકાર દ્રારા હેલિકોપ્ટર ખરીદવા બાબતે બબાલ ચાલી રહી છે તે બાબતે પહેલીવાર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેજસ્વીએ કહ્યુ કે જે હેલિકોપ્ટર ચાલી રહ્યું છે તે પહેલાથી લીઝ પર છે, જેને કારણે સરકાર હેલિકોપ્ટર ખરીદી રહી છે. તેજસ્વી યાદવે ભાજપ સામે નિશાન સાધીને કહ્યું હતું કે, જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી ત્યારે એ લોકો કેમ કશું બોલ્યો નહોતા.

આ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારનું પોતાનું નવું હેલિકોપ્ટર અને જેટ એન્જિન વિમાન હશે તો એ બધાના હિતમાં હશે. નીતિશ કુમારે કહ્યું હતું કે મને નવાઇ લાગે છે કે આની વિરુદ્ધમાં લોકો કેવા કેવા નિવેદનો આપે છે.

પત્રકારોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ પુછ્યો હતો કે ભાજપના સાંસદ સુશીમલ મોદી જેટ વિમાનની ખરીદી પર બિહાર સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એની પર નીતિશ કુમારે કહ્યું હતું કે, ભાજપ નેતાઓને જ પુછી લેજો કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે વિમાનની ખરીદી પર શું બોલતા હતા.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું હતું કે 250 કરોડ રૂપિયાનું 12 સીટર જેટ પ્લેન અને 100 કરોડ રૂપિયાનું 10 સીટર હેલિકોપ્ટર ખરીદવાનો સરકારનો નિર્ણય બિહાર જેવા ગરીબ રાજ્યની પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ દુરપયોગ છે. એને જનતાની સેવા સાથે કોઇ લેવા દેવા નથી.

ગુજરાતમાં ગયા વર્ષે જ 100 કરોડ રૂપિયાના ખર્ચે નવું હેલિકોપ્ટર ગુજરાત સરકારે ખરીદ્યું હતું. સરકારે પાસે 200 કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ એર ક્રાફટ હોવા છતા બીજું હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યું હતું.

તાજેટરમાં જ બિહારમાં નીતિશ કુમાર અને એનડીએ વચ્ચેનું ગઠબંધન તુટી ગયું હતું અને નીતિશે તેજસ્વી યાદવની આરજેડી સાથે મળીને નવી સરકાર બનાવી હતી. સરકારમાંથી બહાર થયા બાદ ભાજપ બિહાર સરકારની આલોચના કરવાનો કોઇ અવસર છોડતું નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.