કેજરીવાલે PM મોદીને યાદ અપાવી 10 વર્ષ જૂની ટ્વીટ, પૂછ્યું- વટહુકમ કેમ લાવ્યા સર?

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમ લાવવાના નિર્ણય પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 વર્ષ જૂની ટ્વીટ શેર કરતા પૂછ્યું કે, તેઓ વટહુકમ શા માટે લઈને આવ્યા? અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ટ્વીટ શેર કરી છે તેમાં લખ્યું છે કે, ‘જ્યારે સંસદમાં બેઠક ચાલી રહી છે. સંસદને ભરોસામાં કેમ ન લેવામાં આવી અને એક સારું બિલ કેમ ન આપી શકાય? વટહુકમ કેમ લાવવામાં આવ્યો?’

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે શુક્રવારે વટહુકમ લઈને આવી. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકારે ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકારો ઉપરાજ્યપાલને આપી દીધા છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની સિવિલ સેવા ઓથોરિટીની રચના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વિજિલેન્સનું કામ કરશે. તેના 3 સભ્ય હશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી સિવાય મુખ્ય સચિવ અને ગૃહ સચિવ હશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો નિર્ણય બહુમતના આધાર પર કરશે, પરંતુ અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલનો હશે. દિલ્હી સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકારનો વટહુકમ સીધી રીતે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ચૂંટાયેલી સરકાર સુપ્રીમ છે. ચૂંટાયેલી સરકાર પાસે બધી શક્તિઓ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ડરીને કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. કેજરીવાલ સરકારનો પાવર ઓછો કરવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો નવો વટહુકમ બદલાની ભાવનાથી ઓતપ્રોત છે અને પૂરી રીતે સંવૈધાનિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. સંવૈધાનિક સિદ્ધાંત એ છે કે નોકરશાહ ચૂંટયેલી સરકાર પ્રત્યે જવાબદાર હોય છે, પરંતુ તમે નોકરશાહોને અન્ય નોકરશાહોના પ્રભારી બનાવી દીધા છે. તમે કેવી રીતે વટહુકમ દ્વારા સંવિધાનનું ઉલ્લંઘન કરી શકો છો. તેને પડકાર આપવામાં આવશે અને તેને સંસદ દ્વારા પાસ થવા દેવામાં નહીં આવે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.