ભાજપના નવા બોસ નીતિન નબીન પાસે કેટલી સંપત્તિ છે? પત્ની કંપનીમાં છે ડિરેક્ટર

બિહારના રાજકારણમાંથી ઉભરેલા નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમણે મંગળવારે પદ સંભાળ્યું. બિહાર સરકારમાં ભૂતપૂર્વ મંત્રી નિતિન નબીન પટનાના બાંકીપુરથી 5 વખત ધારાસભ્ય છે. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન, તેમણે ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો શેર કરી હતી, જે મુજબ, 12મા ધોરણ સુધી અભ્યાસ કરનારા નીતિન નબીનની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયાથી વધુ છે.

બિહારના રાજકારણમાં નીતિન નબીન એક મોટું નામ છે અને 2006ની પેટાચૂંટણી જીત્યા બાદ, તેઓ સતત 2010, 2015, 2020 અને 2025ની વિધાનસભા ચૂંટણીઓમાં જીત નોંધાવી છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની કુલ સંપત્તિ 3.06 કરોડ રૂપિયા છે, જ્યારે તેમના પર 56 લાખ રુપિયાનું દેવું છે. સોગંદનામા મુજબ, તેમના અને તેમના પરિવાર પાસે કુલ 60 હજાર રૂપિયા રોકડ હતી, જ્યારે પતિ-પત્નીના અલગ-અલગ બેંક ખાતાઓમાં 98 લાખ રૂપિયાથી વધુ વધુ રકમ છે.

nitin-nabin1
facebook.com/NitinNabinBJP

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને શેરબજારથી દૂરી બનાવી રાખી છે, પરંતુ તેમની પત્નીના પોર્ટફોલિયોને જોઈએ તો તેમણે મિડ-કેપ અને મલ્ટી-કેપ ફંડમાં 6 લાખથી વધુ રકમનું રોકાણ કર્યું છે. વીમા પોલિસીની વાત કરીએ તો, નીતિન નબીન પાસે પણ 3 LIC અને HDFC પોલિસી છે, જ્યારે તેમની પત્ની પાસે LIC અને SBI લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી છે. આ ઉપરાંત, MyNeta.com પરના સોગંદનામામાં જણાવાયું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પત્ની નવીરા એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પણ છે.

ચૂંટણી સોગંદનામા પર નજર નાખીએ તો તેમના નામે એક સ્કોર્પિયો અને એક ઇનોવા ક્રિસ્ટા નોંધાયેલ છે. આ ઉપરાંત પતિ-પત્ની અને બાળકો પાસે લગભ 11 લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના છે. આ હિસાબે, નબીન નીતિન નબીન પાસે કુલ સ્થાવર સંપત્તિ 92.71 લાખ રૂપિયાની, જ્યારે પત્ની અને બાળકો પાસે 68 લાખથી વધુની સ્થાવર સંપત્તિ હતી.

nitin-nabin3
facebook.com/NitinNabinBJP

ભાજપના નવા બોસ પાસે સ્થાવર સંપત્તિની વાત કરીએ તો, તેમની પાસે ન તો ખેતીની જમીન છે, ન તો કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ કે ઘર છે. જોકે, તેમની પત્નીના નામ પર કરોડો રૂપિયાની સ્થાવર સંપત્તિ ધરાવે છે. તેમાં 28 લાખની અંદાજિત ખેતીની જમીન અને પટનામાં 1.18 કરોડ રૂપિયાનું ઘર શામેલ છે.

About The Author

Related Posts

Top News

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.