‘મારું ઘર સળગાવી દીધું’ મણિપુર હિંસાને લઈને છલકાયું ભારતના ફૂટબોલરનું દર્દ

ભારતનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર લગભગ 3 મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યાંના બે સમુદાય કુકી અને મેતેઈ વચ્ચે મોટા પ્રમાણ પર હિંસક ઘર્ષણ થઈ. 3 મેના રોજ શરૂ થયેલી હિંસાએ મણિપુરના લોકોની જિંદગી પૂરી રીતે તબાહ કરી નાખી છે. હિંસામાં 150 કરતા વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. હિંસામાં મોટા સ્તર પર હોબાળો, તોડફોડ અને હિંસા થઈ. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

આ હિંસાના કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ભારતીય ફૂટબોલર ચિંગલેનસાના સિંહ પણ આ હિંસાથી માઠી રીતે પ્રભાવિત થયો. આ હિંસાએ તેનું ઘર નષ્ટ કરી દીધું અને તેના ગામને તબાહ કરી દીધું. તેનો પરિવાર કોઈક પ્રકારે જીવ બચાવી શક્યો. જ્યાં આ દુઃખદ ઘટના થઈ ત્યારે ચિંગલેનસાના હૈદરાબાદ FC ટીમ સાથે કેરળના કોઝીકોડમાં હતો. ચિંગલેનસાના સિંહ ચુરાચાંદપુર જિલ્લાના ખૂમુજામા લેકેઇનો રહેવાસી છે. હવે ચિંગલેનસાન સિંહે મણિપુરની હિંસાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ચિંગલેનસાનાએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, મેં સમાચાર સાંભળ્યા કે અમારું ઘર સળગાવી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ચુરાચંદપુરમાં મેં જે ફૂટબોલ ટર્ફ બનાવી હતી, તેને સળગાવી દેવામાં આવી. એ દિલ તોડનારું હતું. મેં યુવા ખેલાડીઓને મંચ ઉપલબ્ધ કરાવવાનું મોટું સપનું જોયું હતું, પરંતુ તે તોડી દેનામાં આવ્યું. ભાગ્યથી મારો પરિવાર હિંસાથી બચી ગયો અને તેને રાહત કેન્દ્રમાં રાખવામાં આવ્યો. હિંસાના સમાચાર સામે આવ્યા બાદ ચિંગલેનસાના સિંહ ખૂબ ચિંતિત હતો.

ચિંગલેનસાના સિંહે પોતાની ફેમિલીને તરત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ચિંગલેનસાના સિંહને જલદી જ ખબર પડી ગઈ કે રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં તે પોતાનું ઘર ગુમાવી ચૂક્યો છે. થોડા સમય સુધી પ્રયાસ કર્યા બાદ ચિંગલેનસાના સિંહ અંતે પોતાની માતા સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યો. તેની માતા રડી રહી હતી અને પાછળથી ગોળીઓનો અવાજ પણ આવી રહ્યો હતો. એવામાં તેમણે તરત પરિવાર મળવા માટે મણિપુર જવાનો નિર્ણય લીધો.

27 વર્ષીય ચિંગલેનસાના સિંહે ભારતીય ફૂટબોલ ટીમ માટે 11 મેચ રમી છે. તે એક ડિફેન્ડર છે અને તે સેન્ટર બેંક પોઝિશન પર રમે છે. ચિંગલેનસાના સિંહે 25 માર્ચ 2021માં માલદીવ વિરુદ્ધ મેચમાં પોતાની ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે હવે પોતાની પરિવાર સાથે રહેતા ખૂબ રાહત અનુભવ કરી રહ્યો છે. તે ખૂબ પરેશાન કરનારા અનુભવથી ઉભરીને નવી રીતે શરૂઆત કરવા માગે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.