ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા રહાણેનો છલકાયો દર્દ, બોલ્યો-કાશ હું પહેલા...

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે આ સમયે રણજી ટ્રોફીમાં મુંબઇ તરફથી રમતા જોરદાર બેટિંગ કરતો નજરે પડી રહ્યો છે. અજિંક્ય રહાણેએ હાલમાં જ પોતાના ઉતાર-ચડાવ ભરેલા કરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેણે છેલ્લી વખત ભારત તરફથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી હતી, જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, ત્યારબાદ તેને ફરી રમવાનો ચાંસ મળ્યો નથી. આ અનુસંધાને અજિંક્ય રહાણેએ એ ઇમોશનલ નિવેદન આપ્યું છે. તેણે પોતાની વાપસીને લઇને શું કહ્યું ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

ભારતીય ટીમાં છેલ્લા કેટલાક સમયથી દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં તે રણજી ટ્રોફી 2023માં મુંબઇ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અજિંક્ય રહાણેએ દિલ્હી વિરુદ્ધ થનારી મેચ અગાઉ એક ન્યૂઝ એજન્સી સાથ વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે, હું જૂના સમય બાબતે વિચારી રહ્યો હતો, જ્યારે હું પહેલી વખત રણજી ટ્રોફીમાં આવ્યો હતો (વર્ષ 2007માં). હું કઇ રીતે રમતો હતો, મારા વિચારવાની પ્રક્રિયા શું હતું. હું ફરી યોજના બનાવી રહ્યો છું અને હું તે અજિંક્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે હું પોતાના શરૂઆતી દિવસોમાં રહેતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે નાના બદલાવથી તમારે એક ખેલાડીના રૂપમાં સતત વિકાસ કરવાનું હોય છે અને પોતાની રણનીતિઓ પર કામ કરવું અને સુધાર ચાલુ રાખવાનો હોય છે. કોઇ મોટો બદલાવ નહીં, પરંતુ નાના બદલાવ, કૌશલ્યનાં હિસાબે હવે મને મુંબઇ માટે વિચારવું પડશે અને તેના માટે સારું કરવું પડશે. મારા મનમાં પૂરી રીતે એ જ છે. જો વાત કરીએ અજિંક્ય રહાણેના ક્રિકેટ કરિયરની તો તેણે 82 ટેસ્ટ મેચોમાં 4,931 રન બનાવ્યા છે જેમાં તેણે 12 સદી બનાવી છે. તો વન-ડે ક્રિકેટમાં તેણે 90 મેચોમાં 2,962 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં 20 મેચ રમી છે જેમાં તેણે 375 રન બનાવ્યા છે.

ભારતીય ટીમથી બહાર થયા બાદ રહાણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાની વાપસીને લઇને પોતાની બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં તેણે મુંબઇ તરફથી રમતા હૈદરાબાદ વિરૃદ્ધ વિસ્ફોટક અંદાજમાં બેવડી સદી ઠોકી હતી. ત્યારબાદ પણ તેણે પોતાની શાનદાર રમત યથાવત રાખતા 191 રનોની ઇનિંગ રમી હતી. જો કે આ વખત તે બીજી બેવડી સદી માટે માત્ર 9 રનથી ચૂકી ગયો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.