જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને કેપ્ટન રોહિત શર્મા બોલ્યો- ‘અમે પ્રયાસ કરીશું કે...

ભારતીય ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બૂમરાહને લઈને સતત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) સાથે સંપર્કમાં છે અને જો તે ફિટ રહે છે તો વર્લ્ડ કપ અગાઉથી તેને વધારેમાં વધારે મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તે પૂરી રીતે લયમાં આવી શકે. જસપ્રીત બૂમરાહ પીઠની ઇજાના કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે.

આ કારણે તેણે T20 વર્લ્ડ કપ 2022માં હિસ્સો લીધો નહોતો. જસપ્રીત બૂમરાહે ન્યૂઝીલેન્ડમાં પીઠના નીચેના હિસ્સાની સર્જરી કરાવી હતી. તેની સર્જરી સફળ થઈ અને તે દર્દથી રિકવર કરી રહ્યો છે. જસપ્રીત બૂમરાહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પણ હિસ્સો લીધો નહોતો. જો કે, થોડા દિવસ અગાઉ તસવીર આવી હતી જેમાં તે બોલિંગ કરતો નજરે પડી રહ્યો હતો અને તેનાથી ખબર પડે છે કે, તે ફૂલ ફિટનેસ હાંસલ કરવા તરફ તેજીથી આગળ વધી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની પહેલી વન-ડે મેચ અગાઉ કેપ્ટન રોહિત શર્માને જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું કે, જસપ્રીત બૂમરાહ પાસે ઘણો અનુભવ છે અને એ અનુભવ અમારા માટે મહત્ત્વનો છે. તે લાંબી ઇજા બાદ પાછો આવી રહ્યો છે અને મને ખબર નથી કે, આયરલેન્ડ સામેની સીરિઝમાં તે રમશે કે નહીં. જો કે, અમે પ્રયાસ કરીશું કે વર્લ્ડ કપ અગાઉ તેને વધારેમાં વધારે મેચોમાં રમાડી શકીએ.

તેણે આગળ કહ્યું કે, જ્યારે તમે લાંબી ઇજા બાદ વાપસી કરો છો તો તમારી પાસે મેચ પ્રેક્ટિસ અને મેચ ફિટનેસ હોતી નથી. એટલે જસપ્રીત બૂમરાહ જેટલો વધારે રમશે, તેના માટે અને ટીમ માટે એટલું સારું રહેશે. જોઈશું કે એક મહિનામાં તે કેટલી મેચ રમે છે, શું શું પ્લાન કર્યો છે તેના માટે. જોવાનું એ રહેશે કે તે કેટલો રિકવર થયો છે અમે સતત NCA સાથે સંપર્કમાં છીએ અને આ સમયે તે સારો લાગી રહ્યો છે. વસ્તુ સકારાત્મક જઈ રહી છે, જે સારી વાત છે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ બાદ ભારતીય ટીમે આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમવાની છે. ત્યારબાદ ટીમે એશિયા કપમાં વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ માટે સમય મળશે, તો આ મેગા ટૂર્નામેન્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. એવામાં ભારતીય ટીમ ઇચ્છશે કે બુમારહ આ દરમિયાન વધુમાં વધી મેચ રમે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.