રોહિતના એક્સપરિમેન્ટથી લઈને ખેલાડીઓના ફોર્મ સુધી, જાણો ભારતની હારના 5 કારણ

એશિયા કપ 2023ની છઠ્ઠી અને અંતિમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદયોયની અડધી સદીની મદદથી 266 રનોનું લક્ષ્ય રાખ્યું હતું, આ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ 259 રન પર જ સમેટાઈ ગઈ. આ દરમિયાન શુભમન ગિલે સદી અને અક્ષર પટેલે જરૂર 42 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ જીત ન અપાવી શક્યા. એશિયા કપ સુપર-4માં ભારતની આ પહેલી હાર છે. ચાલો તો આ આર્ટિકલમાં ભારતની હારના 5 મોટા કારણો જાણીએ.

રોહિત શર્માના એક્સપરિમેન્ટ:

બાંગલાદેશ વિરુદ્ધ ભારત પર જરૂરિયાતથી વધારે એક્સપરિમેન્ટ ભારે પડી ગયા. રોહિતે આ હાર બાદ કહ્યું કે, મોટી તસવીર જોતા તેમને એ ખેલાડીઓને અવસર આપ્યો જે આગામી વર્લ્ડ કપમાં રમી શકે છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં એક સાથે 5 બદલાવ કરવું ટીમને ભારે પડી ગયું. પંડ્યા અને બૂમરાહ જેવા ખેલાડીઓને તો આરામ આપવું યોગ્ય મની શકાય છે કેમ કે પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ બેક ટૂ બેક બોલરોએ ખૂબ પરસેવો વહાવ્યો હતો, પરંતુ કોહલી અને કુલદીપ જેવા મુખ્ય ખેલાડીઓને એશિયા કપની ફાઇનલ અગાઉ રોહિતે આરામ આપવો જોઈતો નહોતો. વર્લ્ડ કપ અગાઉ મુખ્ય ખેલાડીઓને સતત આરામ આપવું ભારત પર ભારે પડી શકે છે.

સ્પિનર્સ થયા ફેલ:

બાંગ્લાદેશ વિરુદ્ધ સ્પિનર્સની વિકેટ ન લઈ શકવું ભારતની હારના મુખ્ય કારણોમાંથી એક છે. કુલદીપ એશિયા કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોની લિસ્ટમાં સામેલ છે, તેની ગેરહાજરીમાં અન્ય બે સ્પિનર અક્ષર પટેલ અને જાડેજા ખૂબ ફીકા નજરે પડ્યા. બંનેએ મળીને બાંગ્લાદેશ વિરુદ્ધ 19 ઓવરની બોલિંગ કરી, જેમાં 100 રન ખર્ચીને 2 જ વિકેટ લીધી. ભારતીય સ્પિન યુનિટને દમખમ દેખાડવાની જરૂરિયાત છે.

બેટિંગ યુનિટ ફેલ:

કેપ્ટન રોહિત જલદી જ આઉટ થયા બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય મિડલ ઓર્ડરનું ટેસ્ટ થવાનું હતું. કોહલીની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ ખૂબ નિરાશ કાર્ય. આ મેચમાં ડેબ્યૂ કરનાર તિલક વર્મા 4 જ રન બનાવી શક્યો તો રાહુલ 19 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. સૂર્યકુમાર અને ઇશાન કિશન પણ જે પ્રકારે આઉટ થયા તેમનામાં અનુભવની કમી સ્પષ્ટ નજરે પડી. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય બેટિંગ યુનિટ એકદમ ફ્લોપ રહી.

સૂર્યા ન કાઢી શક્યો વન-ડેનો તોડ:

સૂર્યકુમાર T20 ક્રિકેટમાં ભલે નંબર-1 ખેલાડી છે, પરંતુ વન-ડે ક્રિકેટમાં તોડ અત્યાર સુધી કાઢી શક્યો નથી. તેની T20 ક્રિકેટ રમવાની ક્ષમતાને જોતા તેને એશિયા કપ અને વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા મળી છે, પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે તેણે કેપ્ટન અને સિલેક્ટર્સની ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ સ્વીપ શૉટ લગાવવાના પ્રયાસમાં સૂર્યકુમાર યાદવ પોતાની વિકેટ શાકિબને આપી બેઠો. વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી આદર્શ રહ્યું નથી.

રવીન્દ્ર જાડેજાનું બેટિંગ ફોર્મ ચિંતાનો વિષય:

જાડેજા ભારતીય ટીમમાં એક સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે. બોલિંગમાં તે લાજવાબ પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું બેટિંગ ફોર્મ ખૂબ ખરાબ રહ્યું છે. વર્ષ 2022થી જાડેજાના બેટથી એક પણ અડધી સદી નીકળી શકી નથી. તો આ દરમિયાન તેની સ્ટ્રાઇરેટ પણ ખૂબ ખરાબ રહી છે. જાડેજા જે પોઝિશન પર બેટિંગ કરવા જાય છે ત્યાં સ્ટ્રાઈક રેટ સૌથી મહત્ત્વની હોય છે. વર્ષ 2023માં જો સૌથી ઓછી સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનારા ભારતીય ખેલાડીઓની વાત કરીએ, જેણે ઓછામાં ઓછા 100 બૉલનો સામનો કર્યો છે, તો આ લિસ્ટમાં જાડેજા 56.79ની સ્ટ્રાઈક રેટ સાથે ટોપ પર છે. બેટથી જાડેજાનું આ ખરાબ પ્રદર્શન ભારતને મુશ્કેલીમાં નાખી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.