WTC ફાઇનલમાં કિશનને ડેબ્યૂ કરાવવું યોગ્ય નહીં હોય, DKએ જણાવ્યું કારણ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચમાં ભારતીય વિકેટકીપરને લઈને ચર્ચા ચાલી રહી છે. ટીમ પાસે કે.એસ. ભરત અને ઇશાન કિશનના રૂપમાં વિકલ્પ ઉપસ્થિત છે. બંને જ ખેલાડી વધારે અનુભવી નથી, પરંતુ ઇશાન કિશનનું અત્યાર સુધી ટેસ્ટ ડેબ્યૂ થયું નથી. તો દિનેશ કાર્તિકનું પણ માનવું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇશાન કિશનને ડેબ્યૂ ટેસ્ટ રમાડવો, ખેલાડી પાસે જરૂરિયાતથી વધારે આશા લગાવવા જેવું છે.

ઇશાન કિશનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન કે.એલ. રાહુલ ઇજાગ્રસ્ત થવા અને એકમાત્ર ટેસ્ટથી બહાર થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલ, લંડનમાં રમવાની છે. આ મેચ માટે ભારતના કટલાક ખેલાડી પહોંચી ચૂક્યા છે, જ્યારે IPL 2023માં વ્યસ્ત ખેલાડી પોત પોતાની ટીમોની મેચ પૂરી થયા બાદ રવાના થશે. ICC રિવ્યૂ પર વાત કરતા દિનેશ કાર્તિકે કે.એસ. ભરતને ફાઇનલ મેચમાં વિકેટકીપર તરીકે એક સીધી પસંદ બતાવ્યો છે.

તેણે ભાર આપીને કહ્યું કે, ઇશાન કિશનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ માટે આ પ્રકારે મંચ પર ઉતારવો જરૂરિયાતથી વધારે માગવા જેવુ હશે. મને લાગે છે કે, કે.એસ. ભરત ખૂબ જ સીધો વિકલ્પ હશે કેમ કે ઇશાન કિશનને પોતાની ડેબ્યૂ અને સીધો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમાડવો થોડી ઘણી વધુ માગ રહી છે. દિનેશ કાર્તિકનું એવું પણ માનવું છે કે, ઇશાન કિશનની તુલનામાં કે.એસ. ભરત થોડો સારો વિકેટકીપર છે અને આ વસ્તુ તેના પક્ષમાં જઈ શકે છે. દિનેશ કાર્તિકે કહ્યું કે, તથ્ય એ છે કે કે.એસ. ભરત પોતાની વિકેટકીપિંગના કારણે થોડી લીડ પોતાના પક્ષમાં લઈ લે છે એટલે મને લાગે છે કે તેઓ ફાઇનલમાં કે.એસ. ભરત સાથે જશે.

WTC માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન.

રિઝર્વ ખેલાડી:

સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.