ભારત મેચ વિનરથી ભરપૂર, પાક. 'સ્વાર્થી' બાબર આઝમ પર આધારિત: પૂર્વ પાક. પ્લેયર

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે, બેટ્સમેનોએ તમામ મેચોમાં કેપ્ટન બાબર આઝમ પર નિર્ભર રહેવાને બદલે પોતાની રમતમાં સુધારો કરવાની જરૂર છે. સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે, બાબર ટીમના હિત માટે નથી રમતો, તે ફક્ત પોતાના વ્યક્તિગત પ્રદર્શન પર વધુ ધ્યાન આપે છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાનું કહેવું છે કે, પાકિસ્તાનની ટીમ વનડેમાં ભારત જેટલી ખતરનાક દેખાતી નથી. તેણે કેપ્ટન બાબર આઝમને ટીમ માટે રન બનાવવાનું શરૂ કરવા કહ્યું છે. કનેરિયાએ કહ્યું કે, ભારતીય ટીમ મેચ વિનરથી ભરેલી છે, પરંતુ પાકિસ્તાન ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમ પર ખૂબ નિર્ભર છે અને તે ફક્ત પોતાના માટે જ રન બનાવે છે.

દાનિશ કનેરિયાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, જો તમે આ ભારતીય ટીમને જુઓ તો તે મેચ વિનરથી ભરેલી છે. પરંતુ પાકિસ્તાન ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમ પર ખૂબ નિર્ભર છે અને તે ફક્ત પોતાના માટે જ સ્કોર કરે છે. બાબર આઝમ પોતાના માટે 50-60 રન બનાવી રહ્યો છે અને તેનાથી ટીમને કોઈ ફાયદો થતો નથી અને તે માત્ર હારી જાય છે. બાબર ક્યારેય ટીમ માટે રન નથી બનાવતો.

દાનિશ કનેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે શોએબ અખ્તર જેવો બોલર નથી જે ગમે ત્યારે વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો હોય. અમારી પાસે સઈદ અનવર, આમિર સોહેલ, ઈમરાન ફરહત, તૌફીક ઉમર અને સલમાન બટ્ટ જેવા પ્રભાવશાળી ઓપનર નથી. અમારો મિડલ ઓર્ડર મોહમ્મદ યુસુફ, યુનિસ ખાન અને ઈન્ઝમામ-ઉલ-હક જેવા ખેલાડીઓથી ભરેલો હતો. અબ્દુલ રઝાકના રૂપમાં અમારી પાસે એક મહાન ઓલરાઉન્ડર હતો. વનડેમાં ટીમો અમારાથી ડરતી હતી, પરંતુ હવે એવું નથી.

દાનિશ કનેરિયાએ ન્યૂઝીલેન્ડ સામે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમના બેટિંગ પ્રદર્શનની ટીકા કરી હતી. તેણે કહ્યું, શું અમે વનડેમાં કોઈ મોટો સ્કોર બનાવ્યો? કોઈએ બેવડી સદી ફટકારી? શું ત્યાં પ્રભાવશાળી પ્રદર્શન હતું? ના. આપણે આ બધું સમજવું જોઈએ અને ભારત જેવા અન્ય દેશો પાસેથી શીખવાની જરૂર છે, જેઓ તેમના સંજોગોનો લાભ લઈ રહ્યા છે, પરંતુ અહીં આપણે આપણા અનુકૂળ સંજોગોમાં ખુલીને રમવાથી ડર અનુભવીએ છીએ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.