ગૌતમ અદાણીના બચાવમાં આવ્યો સેહવાગ, કહ્યું- આ ધોળીયાઓએ...

અદાણી સ્ટોક ક્રેશ કેસનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ જોડાયો છે. સેહવાગે ગૌતમ અદાણી ગ્રુપનું નામ લીધા વગર તેને સમર્થન કર્યું હતું. આ અંગે ટીકાકારોએ તેમની ટીકા કરી છે. સેહવાગે પોતાના ટ્વિટમાં પશ્ચિમી દેશો (ઈંગ્લેન્ડ) પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, ભારતીય બજાર ષડયંત્રનો શિકાર બની ગયું છે. જો કે, હંમેશની જેમ આ વખતે પણ ભારત વધુ મજબૂત બનશે.

સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભારતની પ્રગતિ ગોરાઓ દ્વારા સહન થતી નથી. ભારતીય બજાર પર હિટજોબ એક સુનિયોજિત કાવતરું લાગે છે. તે લોકો કેટલી પણ કોશિશ કરી લે, ભારત હંમેશાની જેમ આ વખતે પણ મજબૂતી સાથે આગળ આવશે.'

સેહવાગના આ ટ્વિટ બાદ તેના ફેન્સ કોમેન્ટ બોક્સમાં એકબીજા સાથે ટકરાયા હતા. કેટલાક લોકોએ તેમને અદાણી ગ્રૂપના તમામ શેર ખરીદવા માટે સલાડ આપ્યા, જ્યારે અન્ય કેટલાંક લોકોએ કહ્યું કે, દેશમાં એવા ઘણા લોકો છે જે ગોરાઓને સમર્થન આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ફોલો પબ્લિક ઑફર (FPO) પાછી ખેંચી લીધી હતી. કંપનીએ તેની સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો હતો. જે લોકોએ અત્યાર સુધી FPO સબસ્ક્રાઇબ કર્યું છે, તેમના પૈસા પરત કરવામાં આવશે. અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં, કંપનીનો ઉદ્દેશ્ય FPOની આવક પરત કરીને અને પૂર્ણ થયેલા વ્યવહારો પાછા લઈને તેના રોકાણ સમુદાયના હિતને સુરક્ષિત રાખવાનો છે.

અહીં તમને જણાવી દઈએ કે, વીરેન્દ્ર સેહવાગ તેના સમયમાં ખૂબ જ નિર્ભય રીતે બેટિંગ કરતો હતો. ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે ક્રિકેટ, તેણે બોલરોને છોડ્યા ન હતા. પહેલા બોલથી જ રન બનાવવાનો પ્રયાસ કરતો હતો. તેની સોશિયલ મીડિયા પર પણ આવી જ સ્ટાઇલ જોવા મળી રહી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લોકો તેમની ટ્વીટને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ તેણે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, સૌથી વધુ કોણ ડરે છે. આ પછી તેની અને ક્રિકેટ ફેન્સ વચ્ચે મજેદાર વાતચીત થઈ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.