IPLમા ટોસથી લઈને પ્લેઇંગ XI સુધીના બદલાઈ ગયા બધા નિયમ, જાણો ડિટેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ને દર્શકોની પસંદ મુજબ અને વધુ રોમાન્ચક બનાવવા માટે આ સીઝનમાં કેટલાક મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. ટોસ અને પેનલ્ટીના નિયમો અને પ્લેઇંગ ઇલેવનને લઈને કેટલાક નિયમો લાગૂ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં ટોસની મોટી ભૂમિકા હોય છે અને તે ઘણી વખત પરિણામોને મોટા પ્રમાણ પર પ્રભાવિત કરે છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આ વખત IPL 2023માં નવા નિયમો હેઠળ શું શું બદલાઈ જશે?

IPL 2023માં કેટલાક નવા નિયમ લાગૂ કરવામાં આવી રહ્યા છે. એક ક્રિકેટ વેબસાઇટ મુજબ હવે ટીમો ટોસ પહેલા પ્લેઇંગ ઇલેવનની જાહેરાત નહીં કરી શકે. T20 ક્રિકેટમાં ટોસની ભૂમિકા મહત્ત્વની હોય છે અને અત્યાર સુધી નિયમ મુજબ ટોસ પહેલા જ મેચ રેફરીને ટીમો પોતાની પ્લેઇંગ ઇલેવનની લિસ્ટ આપી દેતી હતી. હવે તેમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે અને કેપ્ટન ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન લિસ્ટ શેર કરશે. એવામાં કેપ્ટન પોતાની સાથે બે લિસ્ટ લઈને આવી શકે છે અને ટોસ પરિણામો મુજબ પ્લેઇંગ ઇલેવન નક્કી કરી શકશે.

IPL 2023માં એક મોટો બદલાવ પેનલ્ટી રનને લઈને પણ કરવામાં આવ્યો છે.

મેચમાં જો કોઈ ટીમના વિકેટકીપર અને ફિલ્ડર ગેર જરૂરી મૂવમેન્ટ કરશે તો એવી સ્થિતિમાં ટીમ પર 5 રનોની પેનલ્ટી લગાવી શકાય છે.

એ સિવાય નક્કી સમય પર પોતાની ઓવર પૂરી ન કરનારી ટીમ ઉપર પણ પેનલ્ટી લાગશે. એ પેનલ્ટી ઓવરની હશે અને એ ઓવરમાં 30 યાર્ડ સર્કલની અંદર 4 ખેલાડી રાખવાની મંજૂરી હશે. દક્ષિણ આફ્રિકા T20 (SA20) લીગ બાદ આ IPL બીજી લીગ હશે, જેમાં ટીમો પાસે ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન બતાવવાની મંજૂરી હશે. દક્ષિણ આફ્રિકા T20 લીગમાં પહેલી સીઝનમાં જ આ નિયમ છે.

આ લીગમાં કેપ્ટન 13 ખેલાડીઓ સાથે ટોસ માટે જાય છે અને ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન ખેલાડીઓના નામની જાહેરાત કરે છે, જે મેચ રમી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા T20 લીગના ડિરેક્ટર ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે, ટોસના પ્રભાવને ઓછો કરવા માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા T20 લીગની 33 મેચોમાં ટોસ જીતનારી ટીમોએ 15 મેચ જીતી અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 2 મેચના પરિણામ ન નીકળી શક્યું. આ જ કારણે IPLમાં પણ આ નિયમ લાવવામાં આવ્યો છે. તેનાથી ભારતમાં ઝાકળની અસર પણ ઓછી થશે. ભારતમાં મોટાભાગના મેદનોમાં ટોસજી ભૂમિકા ખૂબ વધારે હોય છે અને લક્ષ્યનો પીછો કરનારી ટીમો માટે મેચ જીતવી સરળ થઈ જાય છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.