આ પૂર્વ દિગ્ગજે કહ્યું- હું શાર્દૂલ અને ગિલને વર્લ્ડ કપમાં સામેલ નહીં કરું

પૂર્વ ભારતીય ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંતે આગામી વર્લ્ડ કપને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો તેઓ સિલેક્ટર છે તો પછી બે ખેલાડીઓને નિશ્ચિત રૂપે વર્લ્ડ કપમાં જગ્યા નહીં આપે. કૃષ્ણમાચારી શ્રીકાંતના જણાવ્યા મુજબ, તેઓ શુભમન ગિલ અને શાર્દૂલ ઠાકુરને વર્લ્ડ કપની ટીમમાં સામેલ નહીં કરે. હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની રિવ્યૂ મીટિંગ બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓની પસંદગી કરી લેવામાં આવી છે અને એ જ ખેલાડીઓને રોટેટ કરવામાં આવશે.

ત્યારબાદ દરેક પોત-પોતાની તરફથી અનુમાન લગાવી રહ્યું છે કે, કયા કયા ખેલાડીઓને આ 20 સભ્યોની ટીમમાં જગ્યા મળી શકે છે અને કોણ બહાર રહી શકે છે. કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ તેને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે અને બે ખેલાડીઓને ટીમમાં ન સામેલ કરવાની વાત કહી છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, બે એવા ખેલાડી હશે જે મારી લિસ્ટમાં નહીં હોય. એક તો ખેલાડી શુભમન ગિલ છે અને બીજો શાર્દૂલ ઠાકુર. તેમણે આગળ કહ્યું કે, જો મીડિયમ પેસરની વાત કરીએ તો હું જસપ્રીત બુમારહ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ સાથે જઇશ.

તેમણે કહ્યું કે, 4 મીડિયમ પેસર પૂરતા છે. મોહમ્મદ શમી પણ એક વિકલ્પ હોય શકે છે. હું આ સમયે એક ફેન તરીકે નહીં પરંતુ, ચેરમેન ઓફ સિલેક્ટર તરીકે વાત કરી રહ્યો છું. હું તેની જગ્યાએ દીપક હુડાને ચાંસ આપીશ અને મારું માનવું છે કે તે એવો ખેલાડી છે જે તમને મેચ જીતાડી શકે છે. જો તમારે મેચ જીતવી હોય તો પછી યુસુફ પઠાણ જેવા ખેલાડીઓની જરૂરિયાત છે જે એકલાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા રાખતા હોય. જો આ ખેલાડી તમને 2 કે 3 મેચ જીતાડી દે તો પૂરતું છે. આ ખેલાડીઓ પાસે નિરંતરતની આશા ન રાખો.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં શાર્દૂલ ઠાકુરને રમવાનો ચાન્સ મળ્યો નહોતો. તો શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં પણ તેને ચાન્સ મળ્યો નથી. જ્યાં શુભમન ગિલની વાત કરીએ તો તેને શ્રીલંકા વિરુદ્ધની T20 અને વન-ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે હાલમાં જ મુંબઇમાં રમાયેલી પહેલી T20 મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝની અત્યાર સુધી રમાયેલી બંને જ મેચમાં તે નિષ્ફળ સાબિત થયો. પહેલી મેચમાં તે 7 જ્યારે બીજી મેચમાં 5 રન બનાવીને આઉટ થઇ ગયો. જો કે, વન-ડે અને ટેસ્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. 

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.