થઈ ગયું ફાઈનલઃ જાણો પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે કે નહીં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એક રીતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે રાજી થઈ ગયું છે. PCBએ ICCને લીલી ઝંડી આપી દીધી છે કે, ટીમ ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે પડોશી દેશ જવા માટે તૈયાર છે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તે પહેલા પોતાની એક ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે, જે સ્ટેડિયમ અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાનથી નિરીક્ષણ કરશે. આ પછી જ પાકિસ્તાનની ટીમ ભારત આવશે.

પાકિસ્તાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પાકિસ્તાન વર્લ્ડ કપના સ્થળોની તપાસ કરવા અને પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેની સુરક્ષા ટીમને ભારત મોકલશે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યું હતું.

હકીકતમાં એશિયા કપ 2023ની યજમાનીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝઘડો ચાલુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આ વર્ષના એશિયા કપની યજમાનીનો અધિકાર છે, પરંતુ ભારતે કોઈપણ ભોગે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળ પર કરવાની માંગ છે, પરંતુ પાકિસ્તાન ઇચ્છે છે કે, જો ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં ન થાય તો તેનું આયોજન આ હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવે.

ત્યાં સુધી કે, PCBના અધ્યક્ષ નજમ સેઠીએ પણ તેમના અગાઉના ઘણા ઇન્ટરવ્યુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો એશિયા કપ 2023ની યજમાની તેમની પાસેથી છીનવાઈ જશે તો તેઓ ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જો તેઓ આ માટે સંમત થાય તો પણ તેઓ એ શરતે ભારત જશે કે, ટીમ ઈન્ડિયા 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવે. જો કે, હવે અહેવાલો અનુસાર, પાકિસ્તાને ભારત વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી ભારત સાથે અન્ય કોઈ જગ્યાએ દ્વિપક્ષીય શ્રેણી યોજવા અંગે નિવેદન આવ્યું હતું, હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પ્રતિક્રિયા આવી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI સૂત્રએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણીની કોઈ યોજના નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.