આફ્રીદીની ડંફાસ-પાકમાં સુરક્ષાની કોઈ ચિંતા નથી, ભારતમાં અમને જોખમ રહેતું હતું

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને વધારે જવાબદારી દેખાડાવી જોઈએ કેમ કે તે ખૂબ મજબૂત બોર્ડ છે અને ક્રિકેટ રમનારા દેશો વચ્ચે સંબંધોને સામાન્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિકેટ થવા દેવાનો અનુરોધ કરશે. તેણે આગળ કહ્યું કે, હું મોદી સાહેબને વિનંતી કરીશ કે બંને દેશો વચ્ચે ક્રિકેટ થવા દે. શાહિદ આફ્રિદીએ દોહામાં લિજેન્ડસ લીગ ક્રિકેટ (LLC)ની વિરુદ્ધ આ વાત કહી.

શાહિદ આફ્રિદીએ કહ્યું કે, ‘જો આપણે કોઈ સાથે મિત્રતા કરવા માગીએ છીએ અને તે આપણી સાથે વાત નથી કરતો તો આપણે શું કરી શકીએ છીએ? તેમાં કોઈ શંકા નથી કે BCCI ખૂબ મજબૂત બોર્ડ છે, પરંતુ જ્યારે તમે મજબૂત હો છો તો તમારા પર વધારે જવાબદારી હોય છે. જ્યારે તમે વધારે મિત્ર બનાવવા માગો છો તો તમે મજબૂત બનો છો. શું તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને નબળું માને છે? એમ પૂછવામાં આવતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હું નબળું નહીં કહું, પરંતુ કેટલાક જવાબ સામે (BCCI)થી પણ આવે.

શાહિદ આફ્રિદીનું માનવું છે કે, ક્રિકેટ સૌથી સારી કૂટનીતિ છે અને બંને ટીમોએ એક-બીજાને મજબૂત કરવી જોઈએ. ભારતીય ખેલાડીઓ સાથે તેના બધા મધુર સંબંધ છે. એક અન્ય દિવસ ભારતના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ મને બેટ આપી. તે કહે છે કે ભારતીય ટીમમાં અત્યારે પણ તેના મિત્ર છે. તેણે કહ્યું કે, જ્યારે અમે મળીએ છીએ તો અમે ચર્ચા કરીએ છીએ. એક દિવસ હું સુરેશ રૈનાને મળ્યો અને મેં બેટ માગી. તેણે મને બેટ આપી. લાંબી વાતચીતમાં આફ્રિદી પ્રેમ વહેચવાનો દબાવ બનાવતો રહ્યો.

તેણે વર્ષ 2005ની સીરિઝ યાદ કરી, જ્યારે ભારતીય ક્રિકેટર પાકિસ્તાનમાં બહાર નીકળતા હતા ને કંઈક ખરીદતા હતા તો કોઈ પણ પાકિસ્તાની દુકાનદાર તેમની પાસે પૈસા લેતો નહોતો. આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં સુરક્ષાની કોઈ ચિંતા નથી કેમ કે હાલના દિવસોમાં ઘણી ઇન્ટરનેશનલ ટીમોએ તેમના દેશનો પ્રવાસ કર્યો છે. જ્યાં સુધી પાકિસ્તાનમાં સુરક્ષાનો સવાલ છે તો અમારે ત્યાં હાલમાં જ ઘણી ઇન્ટરનેશનલ ટીમોએ પ્રવાસ કર્યો. અમને પણ ભારતમાં સુરક્ષાનું જોખમ રહેતું હતું, પરંતુ બંને દેશોની સરકારો પાસેથી મંજૂરી મળે છે તો પ્રવાસ થશે. જો પ્રવાસ થતો નથી તો અમે એ લોકોને ચાંસ આપીશુ. એ લોકો તો બસ એમ જ ઈચ્છે છે કે અમારી વચ્ચે ક્રિકેટ ન થાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.