28 વર્ષીય ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન, ગુજરાત રણજી ટ્રોફી રમવા આવેલો

હિમાચલ પ્રદેશના ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન થઇ ગયું છે. તેના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. સિદ્ધાર્થ શર્મા ખૂબ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેને સારવાર હેતુ હૉસ્પિટલમાં દાખલ પણ કરાવવામાં આવ્યો હતો. જો કે, ગત દિવસોમાં તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેના સ્વાસ્થ્ય વધારે બગડી ગયું હતું. વડોદરામાં અંતિમ શ્વાસ લીધા. તે મેચ રમવા માટે વડોદરા ગયો હતો. જ્યાં તેની તબિયત એકાએક બગડી ગઇ. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું.

28 વર્ષીય સુદ્ધાર્થ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાનો રહેવાસી હતો. તેણે ઘણી મેચોમાં પોતાની અંદર રહેલી પ્રતિભાથી બધાને વાકેફ કરાવ્યા હતા. તેમણે વિજય હજારે ટ્રોફીમાં પોતાના બેટથી કેર વર્તાવીને બધાના હોશ ઉડાવી દીધા હતા. સુદ્ધાર્થના નાજુક થતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ અફસોસ ત્યાં પણ તેના સ્વાસ્થ્યમાં કોઇ સુધાર જોવા ન મળ્યો. સિદ્ધાર્થના નિધનથી ક્રિકેટ ફેન્સ વચ્ચે શોકની લહેર છે.

સિદ્ધાર્થ શર્માના નિધનની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અનુરાગ ઠાકુરે સાર્વજનિક કરી છે. સિદ્ધાર્થના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સૂક્ખુએ ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરી કે વિજય હજારે ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના સભ્ય રહેલા અને રાજ્યના સ્ટાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માના નિધનના અત્યંત દુઃખદ સમાચાર છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

તો ક્રિકેટર સુદ્ધાર્થ શર્માના નિધન પર IPLના પૂર્વ ચેરમેન અરુણ ધૂમલ, મુખ્યમંત્રી સુખવીન્દર સિંહ સૂક્ખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, ધારાસભ્ય સતપાલ સિંહ સત્તી, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર શર્મા સહિત અન્ય લોકોએ શોક વ્યક્ત કર્યો છે. એ સિવાય ક્રિકેટ ફેન્સ વચ્ચે પણ સિદ્ધાર્થ શર્માના નિધનથી શોકની લહેર છે. બધા પોતાના પ્રિય ખેલાડીના આમ જતા રહેવાથી દુઃખી છે. હકીકતમાં આપણાં બધાને સિદ્ધાર્થ શર્મા બધાને ખૂબ યાદ આવશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.