તાલિબાની ચીફનો ખતરનાક ઇરાદો, આખી દુનિયામાં લાગૂ કરવા માગે છે શરિયા કાયદો

અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યા બાદ જ તાલિબાને ફરીથી પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. સત્તામાં આવ્યા બાદ શરિયત કાયદાને પ્રાથમિકતા આપવા સાથે જ ઘણા એવા ફરમાન લાગૂ કર્યા છે, જેનાથી સામાન્ય જનતાને ખૂબ પરેશાન થવું પડ્યું છે. મહિલાઓના શિક્ષણ અને તેમના કપડાં સાથે જોડાયેલા ફરમાન જાહેર કરીને પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાનની જનતામાં ડરનો માહોલ બનાવી દીધો છે. હવે તાલિબાની મુખિયાએ એક એવું નિવેદન આપ્યુ છે જેથી તેનો ખતરનાક ઇરાદો સામે આવ્યો છે.

મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જ નહીં, આખી દુનિયા પર શરિયા કાયદો લાગૂ કરવામાં આવશે. તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ અફઘાનિસ્તાન બહાર શરિયા કાયદાને લાગૂ કરવાનો પોતાનો ખતરનાક ઇરોદો જગજાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં જ્યારથી સત્તામાં આવ્યું છે. તે પોતાની વ્યવસ્થાઓના કારણે એક શાનદાર ઢાંચો બનાવી શક્યું નથી, તાલિબાનના નેતાઓમાં સામાન્ય સહમતી નથી, જેના કારણે મોટા ભાગે તેમની વચ્ચે મારામારી થતી રહે છે.

આ બધી વસ્તુઓથી સ્પષ્ટ જાણવા મળે છે કે અત્યાર સુધી તાલિબાન પોતાનું ઘર સંભાળી શક્યું નથી, પરંતુ તેનું સપનું આખી દુનિયા પોતાના હિસાબે ચલાવવાનું છે. તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કાબુલમાં ઇસ્લામિક વિદ્વાનોને આપેલા એક ભાષણમાં કહ્યું કે, અફઘાન જિહાદની સફળતાનો અર્થ અફઘાનો માટે ગર્વ અને ગૌરવ નથી. તેની જગ્યાએ આ બધા મુસ્લિમો માટે ગૌરવ છે. આ આખી દુનિયાના મુસ્લિમોની ઇચ્છા રહી છે એટલે તમારી જવાબદારી માત્ર અફઘાનિસ્તાનમાં શરિયત લાગૂ કરવાની નથી, પરંતુ એ તમારી જવાબદારી છે કે દુનિયામાં શરિયા લાગૂ થાય.

શરિયા કેવી રીતે લાગૂ કરવામાં આવશે તેના પર તાલિબાની નેતા મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ જણાવ્યું હતું. સાચા શરિયા માત્ર વિદ્વાનો અને શાસકોના એકીકરણ દ્વારા જ લાગૂ કરી શકાય છે. એ સિવાય તેમણે મધ્યસ્થ સરકારની દરેક સંસ્થામાં વિદ્વાનોને સામેલ કરવા પર ભાર આપ્યો. જેથી શરિયા સારી રીતે લાગૂ કરી શકાય. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાલિબાનના જ ઘણા નેતા મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાની નિંદા કરી રહ્યા છે. તેના પર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કહ્યું કે, લોકો આવીને સીધા વાત કરે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.