અમેરિકામાં જવું માણસો માટે અત્યારે ભારે પડી રહ્યું છે ત્યારે એક રખડતો કુતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો આપી રહ્યો છે. વાત એમ છે કે ભારતમાં કેટલાંક બૌદ્ધ સાધુઓએ શાંતિ માટે પદયાત્રા શરૂ કરી છે અને કોલકાત્તામાં તેમની પદયાત્રમાં એક કુતરો જોડાયો જેણે સતત 100 દિવસથી 3000 કિ.મીની યાત્રા કરી.સાધુઓએ આ કૂતરાનું નામ 'આલોક'રાખ્યું,
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તે એટલો લોકપ્રિય છે કે તેના ફેસબુક પેજ 'આલોક ધ પીસ ડોગ'પર 6,84,000 અને ઇન્સ્ટાગ્રામ પર 2,86,000થી વધુ ફોલોઅર્સ છે
હવે સાધુઓની ભારત યાત્રા પુરી થઇ અને તેઓ શાંતિ યાત્રા માટે અમેરિકા જવાના હતા તો આલોકને પણ સાથે લેતા ગયા.ઘણી બધી પ્રક્રિયાઓ પુરી કર્યા પછી આલોકને અમેરિકા જવાની પરમિશન મળી અને અમેરિકાની પદયાત્રમાં આલોક શાંતિનો સંદેશો ફેલાવી રહ્યો છે.