જીવનના બાકી હતા માત્ર 12 કલાક, જીવ બચાવવા ડૉક્ટરોએ હૃદય બહાર કાઢ્યું, તો પણ..

હૃદયના ધબકારા બંધ થઈ જાય, તો વ્યક્તિ મૃત્યુ પામે છે. પણ જો તમને ખબર પડે કે કોઈ વ્યક્તિ હૃદય વગર જીવે છે તો તમે શું કહેશો. વાસ્તવમાં, એક દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ કંઈક એવું કર્યું જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. આ વ્યક્તિ હૃદય વિના એક મહિનાથી વધુ સમય સુધી જીવતો રહ્યો. ટાઈમ્સ નાઉના એક અહેવાલ મુજબ, એક વ્યક્તિ હૃદયની ગંભીર બિમારીથી પીડિત હતો.

તેની પાસે જીવવા માટે માત્ર 12 કલાકનો સમય હતો. ત્યારપછી દર્દીનો જીવ બચાવવા ડોકટરોએ તેનું હૃદય કાઢી નાખ્યું અને તેની જગ્યાએ એક એવું ઉપકરણ લગાવ્યું જે શરીરમાં પલ્સ વગર તેના લોહીનું પરિભ્રમણ કરી શકે.

મળતી માહિતી મુજબ વર્ષ 2011માં 55 વર્ષીય ક્રેગ લુઈસ નામનો દર્દી એક જીવલેણ હૃદય રોગથી પીડિત હતો. તેને સારવાર માટે ટેક્સાસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેને એમાયલોયડોસિસ નામની એક દુર્લભ બીમારી છે. આ એક ઓટો ઈમ્યૂન બિમારી છે જેમાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ તેના પોતાના શરીર સામે કામ કરવાનું શરૂ કરે છે. આના કારણે શરીરમાં આંતરિક પ્રોટીન જમા થવા લાગે છે, જેના કારણે હૃદય, લીવર, કિડની થોડા દિવસોમાં કામ કરવાનું બંધ કરી દે છે. જો આ રોગથી પીડિત દર્દીઓને સમયસર સારવાર ન મળે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ દુર્લભ બીમારીથી પીડિત દર્દીનો જીવ બચાવવા માટે ટેક્સાસના ડોક્ટરોએ તેના શરીરમાં એક ખાસ ડિવાઈઝ લગાવ્યું. તેની મદદથી શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. તેને હૃદયના ધબકારાની જરૂર હોતી નથી. ડૉક્ટરોએ લુઈસનું હૃદય કાઢી નાખ્યું અને આ ડિવાઈઝને તેના શરીરમાં લગાવી દીધુ. હૃદય વિના, લુઈસ એક મહિના કરતાં વધુ સમય સુધી જીવતો હતો.

લુઈસના શરીરમાં ડિવાઈઝ લગાવતા પહેલા ડૉક્ટરોએ તેનો ટેસ્ટ પણ કર્યો હતો. લુઈસ પાસે બહુ ઓછો સમય હતો. તેથી જ તેની પત્ની લિન્ડાએ ડોક્ટરોને તેના પતિના શરીરમાં ડિવાઈઝ લગાવવાની પરવાનગી આપી. આ ડિવાઈઝ પહેલા તેમના શરીરમાં ડાયાલિસિસ મશીન, બ્રેથિંગ મશીન, શ્વાસ મશીન અને પંપ લગાવવામાં આવ્યા હતા. જોકે, આ બીમારીને કારણે લુઈસનું લિવર અને કિડની પણ ડેમેજ થઈ ગઈ હતી. એપ્રિલ 2011માં તેમનું નિધન થયું હતું. જોકે લુઈસ એક મહિનાથી વધુ સમય સુધી પલ્સ વિના જીવતો હતો.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.