અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. આ દેશોમાં રશિયા, યુક્રેન, લિબિયા અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે, જોકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થતો નથી.

trump
indianexpress.com

US ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન કોન્સ્યૂલર અફેર્સે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. પોસ્ટમાં અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, ‘અમે અમેરિકન નાગરિકો માટે લેવલ-1 થી 4 સાથે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છીએ. તેમાં લેવલ-4નો અર્થ છે ત્યાં મુસાફરી ન કરો.

પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘અમે સ્થાનિક પરિસ્થિતિઓ અને આ દેશોમાં અમેરિકન નાગરિકોને સહાય પૂરી પાડવાની અમારી મર્યાદિત ક્ષમતાના આધારે લેવલ-4 અસાઇન કરીએ છીએ. આ સ્થાનો ખતરનાક છે. કોઈપણ કારણોસર ત્યાં મુસાફરી ન કરો.

અમેરિકાએ જે 21 દેશોની મુસાફરી ન કરવાની અપીલ કરી છે તેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, બુર્કિના ફાસો, બર્મા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR), હૈતી, ઈરાન, ઈરાક, લેબનોન, લિબિયા, માલી, નાઇજર, ઉત્તર કોરિયા, રશિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, યુક્રેન, વેનેઝુએલા, યમન જેવા દેશોનો સમાવેશ થાય છે.

trump2
abc.net.au

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી રશિયાની પરમાણુ ચીમકી બાદ લેવામાં આવી છે. હકીકતમાં, અમેરિકાની સેનાએ એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર, મરીનેરાને જપ્ત કરી લીધો હતો, જેનાથી બંને દેશો વચ્ચે સીધા ઘર્ષણની પરિસ્થિતી ઊભી થઈ છે.

રશિયાએ અમેરિકાની આ કાર્યવાહીને ચાંચિયાગીરી ગણાવી. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીના સભ્ય અને દેશમાં સંરક્ષણ બાબતોની રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ એલેક્સી ઝુરાવલેવે અમેરિકાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ચીમકી આપી નાખી હતી.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.