કોંગ્રેસમાંથી AAPમાં ગયેલા પાછા આવવા લાગ્યા? રાજકોટમાં વશરામ સાગઠિયા સસ્પેંડ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થવાનું આમ આદમી પાર્ટીના રાજકોટના નેતાને ભારે પડ્યું છે. આમ આદમી પાર્ટીએ આ નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ નેતાની કોંગ્રેસમાં જવાની અટકળો ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઇન કરનાર રાજકોટના વશરામ સાગઠીયા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થતા, પાર્ટીએ તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.AAPના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાને પાર્ટીમાં સસ્પેન્ડ કરવાનો લેખિતમાં હુકમ કર્યો છે.

વશરામ સાગઠિયાને લાગે છે કે સસ્પેન્ડ થવાનું કોઠે પડી ગયું છે. વશરામ સાગઠિયા રાજકોટ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા હતા.જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો સમય હતો ત્યારે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડીને AAPમાં પ્રવેશ કર્યો હતો, તેમની સાથે વશરામ સાગઠીયા પણ AAPમાં જોડાઇ ગયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુનો AAP સાથેનો પ્રેમ લાંબો ટક્યો નહીં અને તેમણે AAPને રામ રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી. પરંતુ વશરામ સાગઠિયા AAPમાં રહ્યા હતા.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસ વાપસી પછી એવી અટકળો હતી જ કે વશરામ સાગઠીયા પણ ગમે ત્યારે કોંગ્રેસમાં આવી જ જશે, કારણકે તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે નજીકના સંબંધો છે.

હવે 2 દિવસ પહેલાં કોંગ્રેસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં વશરામ સાગઠીયા ઉત્સાહભેર સામેલ થયા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે વશરામ સાગઠીયા આવતીકાલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે.

મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાના સસ્પેન્ડ કરવાની જાહેરાત પછી સાગઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું  કે, મેં તો 18 જૂને સાંજે જ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને મારું રાજીનામું મોકલી આપ્યું હતું અને ઇસુદાન સાથે ફોન પર વાત પણ કરી હતી. આજે મનોજ સોરઠીયા મને સસ્પેન્ડ કરવાની વાત કેમ કરી રહ્યા છે, તે મને સમજાતું નથી.

મનોજ સોરઠીયાએ પત્રમાં લખ્યું છે કે  વશરામ સાગઠીયા પાર્ટી વિરુધ્ધ કામ કરતા હોવાની અનેક ફરિયાદો કાર્યકર્તાઓ પાસેથી મળી હતી જેની તપાસ કરતા સાચી જણાઇ હતી એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.