ભાજપ આવી ગયું છે ફૂલ ચૂંટણી મૂડમાં, સ્ટ્રેટેજી નક્કી કરવા 2 દિવસનું સઘન ચિંતન

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. ભાજપના ટોચના 40થી વધુ આગેવાનો બે દિવસ સુધી ચૂંટણી ચિંતન કરશે. 15 અને 16 મે ના રોજ ભાજપની ચિંતન શિબિર યોજાઇ રહી છે જેમાં ચૂંટણી અંગેની સ્ટ્રેટેજી નક્કી કરાશે. આ બેઠકમાં પાર્ટીની કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ બેઠકમાં ભાજપના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પાર્ટીની આ પ્રથમ ચિંતન શિબિર છે જેમાં તેઓ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતોનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ડિસેમ્બરમાં ગુજરાત તેમજ હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું ફોકસ માત્ર બે રાજ્યો છે. કેન્દ્રમાં ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી બનેલા સાંસદો પણ ગુજરાતના પ્રવાસની તૈયારીઓ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.

આ ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા થવા સંભવ છે. છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર તેમજ મોંઘવારીના મુદ્દા સામે છે ત્યારે આ ચિંતન શિબિરમાં ભાજપના નેતાઓ જનતાની વચ્ચે જવાનો માર્ગ ખોળશે.

આ બેઠકમાં કેટલાક સેશન થવાના છે જેમાં સોશ્યલ મિડીયા, મિડીયા કમિટી, આઇટી સેલના સેશન પણ થશે. જિલ્લા, તાલુકા અને મહાનગરો દ્વારા થયેલા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. સંગઠનાત્મક કાર્યક્રમો માટે પણ તૈયારી કરાશે. ઉલ્લેખનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 20 અને 21 મે દરમ્યાન જયપુરમાં યોજાવાની છે ત્યારે તે પહેલાં ગુજરાતમાં મળનારી આ ચિંતન શિબિર મહત્વની બની રહેશે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.