ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન, લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે ચૂંટણી

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી ((AAP) અને કોંગ્રેસ એક સાથે મળીને ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટી I.N.D.I.A. ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગૂ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ.

તેમણે આગળ જણાવ્યું હતું કે, ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. વડાપ્રધાનથી લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ વખત લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

આ બાબતે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોગ્રેસનો ઇતિહાસ જુઓ તો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને ખાઈ ગઈ, ગુજરાતની વિધાસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ શેરને ઓછો કર્યો છે. જ્યારે ભાજપના વોટ શેરમાં વધારો થયો છે. આમ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં ભાગ પડાવ્યો છે. આ રીતે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ખાવાનું કામ કરે છે. તેની સાથે તેમણે કહ્યું કે, મતદારો આજે પણ નરેન્દ્ર મોદી પર કળશ ઢોળવા માટે તૈયાર છે.

બીજી તરફ કોંગ્રેસે સાથે મળીને લડવાની નીતિને યોગ્ય ગણાવી છે અને આ ગઠબંધન પર પૂર્ણ વિશ્વાસ હોવાનું કોંગ્રેસના નેતા ડૉ. અમિત નાયકે જણાવ્યું હતું. અમિત નાયકે મોંઘવારીના મુદ્દાને છેડીને ગઠબંધનની જીત થશે તેવી આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીને આશા મુજબ, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પરિણામ મળ્યું નહોતું, પરંતુ પાર્ટીને વિધાનસભામાં એન્ટ્રી કરવાની તક મળી છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા, એ જ પ્રમાણે ગોપાલ ઈટાલિયાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની તથા સમીકરણો સમજવાની પ્રયત્નો કર્યા હતા. હવે બંને I.N.D.I.A. ગઠબંધનમાં ભાજપને ચેલેન્જ ફેંકીને આપે કંઈક મોટું કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષ 2022ની વિધાસનભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182માંથી 5 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપે રેકોર્ડ 156 બેઠકો પર જીત હાંસલ કરી હતી. તો વર્ષ 2022ની વિધાસનભા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો અને તેને માત્ર 17 સીટો પર જીત મળી શકી હતી. આ સિવાય અપક્ષને 3 જ્યારે સમાજવાદી પાર્ટીને 1 બેઠક જીતવામાં સફળતા મળી હતી.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.