એક દિવસમાં 36000 લોકોના થશે મોત, કોરોના પર નવા આંકડાઓએ ચીનને ડરાવ્યું

ચીનમાં કોરોના વાયરસની લહેરે પૂરી રીતે દુનિયાને એલર્ટ કરી દીધી છે. રોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. હૉસ્પિટલોમાં બેડ્સની અછત છે, જ્યારે હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનમાં એક દિવસમાં 36 હજાર લોકોના મોત થઇ શકે છે. તે પહેલા સંભવિત આંકડાઓથી ખૂબ જ વધારે છે. રિપોર્ટ્સ મુજબ 26 જાન્યુઆરીના રોજ ચીનમાં કોરોના વાયરસ મોતનો આંકડો તાડવ મચાવી શકે છે. એનાલિટીક્સ કંપની એરફિનિટીએ પહેલા ચીન માટે 2 લહેરોનું અનુમાન લગાવ્યું હતું, જેમાં એક જ દિવસે થનારા મોતોની સંખ્યા 25 હજાર સુધી પહોંચી ગઇ હતી, પરંતુ હવે આ આંકડો બદલાઇ ગયો છે.

તેની પાછળનું કારણ તહેવાર અને લોકોનું એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું છે. એરફિનિટીના એનાલિટીક્સ ડિરેક્ટર ડૉ. મેટ લિનલીએ કહ્યું કે, ‘હવે અમે સંક્રમણ સાથે એક મોટી અને વધુ લાંબી લહેર જોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છીએ.’ તેમણે આગળ કહ્યું કે, તેજ કોરોના વાયરસની લહેરોનો અર્થ સ્વાસ્થ્ય સુવિધાઓ પર વધારે ભાર પડશે અને એ સંભાવના છે કે ભીડવાળી હૉસ્પિટલો અને દેખરેખની કમીના કારણે ઘણા દર્દીઓના મોત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશવ્યાપી વિરોધોથી પ્રેરિત થઇને ચીને 8 જાન્યુઆરીના રોજ પોતાની સીમાઓને ફરીથી ખોલી દીધી હતી. ચીને ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી દીધી છે. લ્યૂનર ન્યૂ યર ફેસ્ટિવલ 7 જાન્યુઆરીના રોજ શરૂ થયો, જ્યારે ચીની લોકો 21 જાન્યુઆરીથી શરૂ થનારી છુટ્ટીની તૈયારીમાં પોતાના ગૃહનગર ફરી ગયા છે. એરફિનિટીના સંશોધન મુજબ, 13-27 જાન્યુઆરી વચ્ચે અંદાજિત 62 લાખ સંક્રમણ સાથે કેસ એક દિવસમાં 48 લાખ સુધી વધી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તેનું નવું મોડલ 1 ડિસેમ્બરથી કુલ કેસોની સંખ્યા મુજબ 72.9 લાખથી વધીને 97.3 લાખ કરી રહ્યું છે.

મોતો પર કંપનીનું અનુમાન છે કે, 1 ડિસેમ્બરથી લગભગ 5,75,000 લોકોના મોત કોરોનાના કારણે થઇ શકે છે. તો ગત અનુમાન 4,36,780 હતું. ચીને શનિવારે પહેલી વખત પોતાના કોરોના વાયરસથી થનારા મોતોના આંકડાઓને સંશોધિત કર્યા, જેથી કોરોનાના કારણે થનારા મોતોની સંખ્યા અને સમવર્તી કોરોના સંક્રમણ સાથે 50 હજાર આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ પણ માનવામાં આવી રહ્યું છે કે ચીને મૃતકોના આંકડા ઓછા કરીને દેખાડ્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.