શું વેક્સીનથી હાર્ટ ઍટેક આવવા કે સ્ટ્રોકનું જોખમ વધ્યું? સ્ટડીમાં મળ્યા જવાબ

કોરોના રોધી વેક્સીનથી લોકોમાં ગંભીર બીમારીઓનું કોઇ જોખમ હોવાનું જાણવા મળ્યું નથી. એક નવી સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. સ્ટડી મુજબ, કોરોના વાયરસ વેક્સીનથી હાર્ટ એટેક આવવા, સ્ટ્રોક, માયોકાર્ડિટિસ (હૃદયની માંસપેશીઓમાં સોજાની સમસ્યા), પેરિકાર્ડિટિસ અને ડીપ વેન થ્રોમ્બોસિસ જેવી બીમારીઓનું જોખમ વધ્યું નથી. એવામાં આ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂરિયત નથી. પેરિકાર્ડિટિસ પેરિકાર્ડિયમમાં થનારો સોજો છે.

આપણાં હૃદયના બાહ્ય ભાગમાં 2 પરતોવાળા એક દ્રવ્યથી ભરેલી થેલી સ્થિત હોય છે, જેને પેરિકાર્ડિયમ કહેવાય છે. તેનું મુખ્ય કાર્ય આપણાં હૃદયને આરામ આપવાનું, સંક્રમણથી દૂર રાખવાનું હોય છે. જો આ પરતોમાં સોજો આવે છે તો તેના કારણે છાતીમાં દુઃખાવો થઇ શકે છે. ડીપ વેન થ્રોમ્બોસિસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ક્યાંક કોઇ એક નસની અંદર લોહીનો થર બની જાય છે. ‘જર્નલ વેક્સીન્સ’માં પ્રકાશિત સ્ટડીમાં જાન્યુઆરી 2021 થી જુલાઇ 2022 સુધી 18 મહિનાઓ માટે ઇટાલીના પેસ્કારા પ્રાંતની આખી વસ્તીની દેખરેખ રાખવામાં આવી.

ઇટાલીમાં બોલોગ્ના યુનિવર્સિટીના સંશોધનકર્તાઓના નેતૃત્વમાં ટીમે રહેવાસીઓના સ્વાસ્થ્ય આંકડા એકત્ર કર્યા અને હૃદય રોગ, પલ્મોનરી એલ્બોલિઝ્મ અને થ્રોમ્બોસિસ જેવી ગંભીર બીમારીઓનું વિશ્લેષણ કર્યું હતું. પાલ્મોનરીઓ એમ્બોલિઝ્મ ફેફસામાં એક લોહીનો થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર હોય છે અને એ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરના કોઇ અન્ય હિસ્સામાં એક થર જેવો હાથ કે પગ, રક્તપ્રવાહથી થઇને ફેફસાની રક્ત વાહિકાઓમાં જમા થઇ જાય છે.

બોલોગ્ના યુનિવર્સિટીમાં પ્રોફેસર લેંબર્ટો મંજોલીએ કહ્યું કે, સ્ટડીના પરિણામોથી સ્પષ્ટ છે કે વેક્સીન લગાવનારા ગંભીર બીમારીઓનું કોઇ જોખમ નહોતું. વિશ્લેષણથી એ વાતની પણ પુષ્ટિ થઇ કે કોરોના વાયરસથી સંક્રમિત થનાર જે લોકોએ વેક્સીન લગાવી હતી, તેઓ એ લોકોની તુલનામાં વધુ સુરક્ષિત હતા, જેમણે વેક્સીન લીધી નહોતી.

જો કે, રાજીવ ગાંધી હૉસ્પિટલના કાર્ડિયો સર્જન અને સીનિયર કન્સલટેન્ટ ડૉક્ટર અજીત જૈન કહે છે કે કોરોના મહામારી બાદ સતત હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાથી મોટોમાં વધારો જોવા મળ્યો છે. હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓના કેટલાક મુખ્ય કારણોની જો વાત કરીએ તો તેમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સૌથી મુખ્ય છે. દેશમાં સુગરની બીમારી એક એપેડેમિક જેવી છે, જેનાથી હાર્ટ એટેક થવાના ચાંસ વધી જાય છે. એ સિવાય યુવાનોમાં સ્ટ્રેસની વધુ માત્રા પણ હૃદય સાથે જોડાયેલી બીમારીઓને નોતરું આપે છે. એ સિવાય તમારી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી ટેવો જેમ કે સ્મોકિંગ વેગેરેથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. તો કોલેસ્ટ્રોલ લેવલ અને ફૂડિંગ હેબિટનો પણ હાર્ટ એટેક સાથે ગઢ સંબંધ હોય છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.