કોરોનામાં Dolo 650ની દરરોજ 55 લાખ ગોળીઓ વેચાતી હતી, રોજની 86 લાખની કમાણી થતી

કોરોના મહામારીના સમયમાં જયારે આખી દુનિયામાં લોકો આર્થિક મુશ્કેલીમાં હતી અને વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા હતા, તેવા સમયે દવા બનાવતી કંપનીએ Dolo 650નું ધૂમ વેચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી. કંપનીએ વેચાણ વધારવા માટે તબીબોને 1,000 કરોડ રૂપિયાની ગિફ્ટ પણ વ્હેંચી હતી.

તાવની દવા Dolo 650 વિવાદમાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીએ ડૉક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની લાંચ આપી હતી, જેથી તેઓ દર્દીઓને ડોલો ખાવાની સલાહ આપે.

 કોરોના સમયગાળા દરમિયાન Dolo 650ના વેચાણમાં બમ્પર તેજી જોવા મળી હતી. માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 ની વચ્ચે કંપનીએ 567 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ કર્યું હતું.

વાસ્તવમાં, ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ અરજી દાખલ કરી છે. આ અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે Dolo 650 દવા બનાવતી કંપનીએ ડોક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી હતી. જોકે, આ દવા બનાવતી બેંગ્લોરની માઈક્રો લેબ્સે કહ્યું હતું કે અમારું સૌથી વધુ વેચાણ 350 કરોડ રૂપિયાનું છે, તો અમે હજાર કરોડની ભેટ કેવી રીતે વહેંચી શકીએ.

આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જ્યારે મને કોરોના થયો ત્યારે ડૉક્ટરે મને Dolo 650 લેવા કહ્યું હતું.

DOLO 650 એ કોરોનામાં એટલી પ્રભાવશાળી હતી કે માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે, કંપનીએ 350 કરોડથી વધુ ટેબલેટ વેચી એટલે કે દરરોજ લગભગ 55 લાખ ગોળીઓ વેચાતી હતી.

એટલું જ નહીં, કંપનીએ આ વેચાણથી 567 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે Dolo 650ના વેચાણથી કંપનીને દરરોજ લગભગ 86 લાખ રૂપિયાની કમાણી થઈ. આ માહિતી હેલ્થકેર એનાલિટિક્સ ફર્મ IQVIA દ્વારા આપવામાં આવી છે.

IQVIAના કહેવા અનુસાર, Dolo 650નું સૌથી વધુ વેચાણ એપ્રિલ અને મે 2021માં થયું હતું. તે બે મહિનામાં કંપનીએ લગભગ 94 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ કર્યું હતું. આ બે મહિના એવા જ હતા, જ્યારે કોરોનાની બીજી અને ખતરનાક લહેર ચરમસીમાએ હતી.

રિસર્ચ ફર્મ અનુસાર, કોરોનાના આગમન પહેલા 2019માં Dolo 650ની 75 મિલિયન સ્ટ્રીપ્સ વેચાઈ હતી. એક પત્તામાં 15 ગોળીઓ હોય છે.  વર્ષ 2020 માં 9.4 કરોડ પત્તા અને 2021 માં 14.5 કરોડથી વધુ પત્તા વેચાયા હતા.

કોરોના મહામારીનું આગમન થયું તે પહેલા, 2019 માં, પેરાસિટામોલ શ્રેણીની તમામ બ્રાન્ડ્સે લગભગ 530 કરોડ રૂપિયાની દવાઓ વેચી હતી. 2021માં 924 કરોડ રૂપિયાના પેરાસિટામોલનું વેચાણ થયું હતું. તેમાંથી 307 કરોડ રૂપિયાની માત્ર Dolo 650 જ વેચાઈ હતી. આ સાથે Dolo650 ભારતમાં સૌથી વધુ વેચાતી તાવની દવા બની.

પહેલા નંબરે Calpol હતી, જેનું વેચાણ આશરે રૂ. 480 કરોડ હતું. તેનું ઉત્પાદન UKની GSK ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે. ક્રોસિન છઠ્ઠા નંબર પર હતી, જેનું વેચાણ 23.6 કરોડ રૂપિયા હતું. ક્રોસિનનું ઉત્પાદન પણ GSK ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.