‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા ટપ્પુની એન્ટ્રી, રાજ અનડકટની જગ્યાએ...

ટી.વી.ના પોપ્યુલર સિટકોમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોને ત્યારે ભારે ઝટકો લાગ્યો હતો, જ્યારે રાજ અનાદકટે એટલે કે આપણા ટપ્પુએ શૉને અલવિદા કહેવાની વાત કહી હતી. રાજ અનાદકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. ત્યારબાદ મેકર્સે પણ પોતાની ઓડિયન્સને એ સુનિશ્ચિત કર્યું હતું કે તેઓ થોડા દિવસમાં તેમની સામે એક નવા ટપ્પુને લઇને આવશે અને જુઓ તેમણે વાયદો પૂરો કર્યો. નવા ટપ્પુ સાથે મેકર્સ શૉને આગળ વધારવા માટે તૈયાર છે.

મેકર્સે નીતિશ ભલૂનીને આ રોલ માટે કન્ફર્મ કર્યો છે. જલદી જ નવો ટપ્પુ બનીને નીતિશ પરદા પર દર્શકોનું મનોરંજન કરતો નજરે પડશે. એ સિવાય નીતિશ ભલૂની જલદી જ શૂટિંગ પણ શરૂ કરશે. ‘જેઠાલાલ’નો પુત્ર  ટપ્પુ બનીને નીતિશ ભલૂની ઓડિયન્સનું દિલ જીતવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ તેની સાથે જ તમને જણાવી દઇએ કે નીતિશ ભલૂની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નજરે પડવા પહેલા ‘મેરી ડોલી મેરે અંગના’માં નજરે પડ્યો હતો.

ટી.વી. ઇન્ડસ્ટ્રીમાં નીતિશનો આ એક ખૂબ મોટો બ્રેક હોય શકે છે કેમ કે છેલ્લા 14 વર્ષોથી આ શૉ ઓડિયન્સનો નંબર વન શૉ બનેલો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, આસિત મોદી અને નીતિશ ભલૂની બંનેને જ્યારે આ બાબતને લઇને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો બંનેએ જ જવાબ ન આપ્યો. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે નીતિશ ભલૂની પહેલા આ રોલ રાજ અનાદકટ નિભાવી રહ્યો હતો. તેણે વર્ષ 2017માં આ શૉ જોઇન્ટ કર્યો હતો. આ અગાઉ ભવ્યા ગાંધી આ રોલમાં દેખાયો હતો.

ડિસેમ્બર મહિનામાં રાજ અનાદકટે આ શૉને અલવિદા કહી દીધો હતો. તેણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 5 વર્ષથી લગભગ આ શૉ સાથે જોડાઇ રહ્યો. જો કે, ડિસેમ્બરથી થોડા મહિના અગાઉ જ રાજના શૉ છોડવાના સમાચારો ચર્ચામાં રહ્યા હતા. પરંતુ એક્ટરે કન્ફર્મ કર્યું નહોતું. પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ શેર કરતા રાજે લખ્યું હતું કે ‘હેલ્લો મિત્રો, સમય આવી ગયો છે કે દરેક સમાચાર પર બ્રેક લગાવવાનો. મારો નીલા ફિલ્મ પ્રોડક્શન અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે સફર સમાપ્ત થાય છે. મારા માટે એ એક શાનદાર જર્ની રહી છે. મેં અનેક મિત્ર બનાવ્યા અને મારા કરિયરનો આ બેસ્ટ ફેઝ રહ્યો છે.’

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.