પોલીસ દળો વધુ સંવેદનશીલ બને તેવી ટકોર કરતા PM નરેન્દ્ર મોદી

PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 21 અને 22મી જાન્યુઆરીએ પોલીસ મહાનિદેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 57મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. PMએ પોલીસ દળોને વધુ સંવેદનશીલ બનાવવા અને તેમને ઉભરતી તકનીકોમાં તાલીમ આપવાનું સૂચન કર્યું. તેમણે તમામ એજન્સીઓમાં ડેટા એક્સચેન્જને સરળ બનાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. PMએ સૂચવ્યું હતું કે જ્યારે આપણે બાયોમેટ્રિક્સ વગેરે જેવા તકનીકી ઉકેલોનો વધુ લાભ ઉઠાવવો જોઈએ, ત્યાં ફૂટ પેટ્રોલ વગેરે જેવા પરંપરાગત પોલીસિંગ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની પણ જરૂર છે. તેમણે અપ્રચલિત ફોજદારી કાયદાઓ રદ કરવાની ભલામણ કરી હતી અને તમામ રાજ્યોમાં પોલીસ સંગઠનો માટે ધોરણોનું નિર્માણ કરવાની ભલામણ કરી હતી. તેમણે જેલ પ્રબંધનને સુધારવા માટે જેલમાં સુધારાનું સૂચન કર્યું હતું. તેમણે અધિકારીઓની અવારનવાર મુલાકાતો યોજીને સરહદ તેમજ દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.

PMએ ક્ષમતાઓનો લાભ લેવા અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉભરતા પડકારોની ચર્ચા કરવા અને તેમની ટીમો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ વિકસાવવા માટે રાજ્ય/જિલ્લા સ્તરે DGsP/IGsP કોન્ફરન્સના મોડલની નકલ કરવાનું સૂચન કર્યું.

કોન્ફરન્સમાં પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં કાઉન્ટર ટેરરિઝમ, કાઉન્ટર ઇન્સર્જન્સી અને સાયબર સિક્યુરિટીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના DGsP/IGsP અને કેન્દ્રીય પોલીસ સંગઠનો/કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ પણ આ પરિષદમાં હાજર હતા. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વર્ચ્યુઅલ રીતે વિવિધ સ્તરોના લગભગ 600 વધુ અધિકારીઓએ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.