લકી નંબર જ બની ગયો અનલકી, વિજય રૂપાણીનું શું હતું 1206નું કનેક્શન? જાણો આખી કહાની

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે. આ અકસ્માતમાં તેમના સિવાય 241 લોકો સવાર હતા. તેમાં 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે અને લગભગ બધાના મોત થયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે જ તેમણે પણ અન્ય મુસાફરોની જેમ, વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો, જો કે દુઃખની વાત એ છે કે વિજય રૂપાણીનો લકી નંબર પણ તેમનો જીવ બચાવી શક્યો નહીં. અમે આવું કેમ કહી રહ્યા છીએ? ચાલો જાણીએ.

1664345796Vijay_Rupani1

શું છે વિજય રૂપાણીનો લકી નંબર?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બધા વાહનોના નંબર 1206 હતા. સામે આવેલી તસવીરોમાં, જોઈ શકાય છે કે તેમની પાસે રહેલા સ્કૂટરનો નંબર 1206 છે અને તેમની બધી કારોનો નંબર પણ 1206 છે. આ ઉપરાંત, ગુરુવારે તેઓ જે સીટ પર બેઠા હતા તેનો નંબર પણ 12 હતો. એટલું જ નહીં, રૂપાણીનો બોર્ડિંગ સમય પણ બપોરે 12:10 વાગ્યે હતો, પરંતુ તેમને ખબર નહોતી કે આ 12નું ચક્કર જ તેમના માટે અનલકી સાબિત થશે. કારણ કે વિજય રૂપાણી 12/06ના રોજ અકસ્માતનો શિકાર થઈ ગયા અને આ અકસ્માતમાં તેમનો જીવ ગુમાવી બેઠા.

રિપોર્ટ મુજબ, વિજય રૂપાણીએ Z ક્લાસમાં બુકિંગ કરાવ્યું હતું, જે બિઝનેસ ક્લાસ કેટેગરી હેઠળ આવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અંજલિ રૂપાણી અને બે બાળકો- એક પુત્ર અને એક પુત્રી છે. વિજય રૂપાણી એ મુખ્યમંત્રીઓની દુઃખદ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે, જેમનું હવાઈ દુર્ઘટનાઓમાં મોત થઈ ગયું છે. આ લિસ્ટમાં રૂપાણી ઉપરાંત, અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુ સામેલ છે, જેમનું વર્ષ 2011માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડી (YSR), જેમનું વર્ષ 2009માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, જેમનું વર્ષ 1965માં વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું.

રૂપાણીના મોત પર રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘણા નેતાઓએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાણીના મોત પર શોક વ્યક્ત કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. તેમનું જવું ભાજપ પરિવાર સાથે-સાથે ગુજરાત અને દેશના રાજકારણ માટે એક પૂરી ન શકાય તેવી ક્ષતિ છે. અસહ્ય દુઃખ અને પીડાના આ સમયમાં, હું પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

ભાજપના રાજ્યસભાના સાંસદ સંબિત પાત્રાએ લખ્યું કે, ‘અમદાવાદમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ પરિવારના વરિષ્ઠ સભ્ય વિજય રૂપાણીજીના દુ:ખદ નિધનના સમાચાર અત્યંત પીડાદાયક અને મનને હળવી નાખનારા છે. તેમનું અવસાન ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર ભારતીય રાજનીતિ માટે એક પૂરી ન શકાય તેવી ક્ષતિ છે. મહાપ્રભુ જગન્નાથજી દિવંગત આત્માને પોતાના શ્રીચરણમાં સ્થાન આપે અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને ધીરજ અને શક્તિ પ્રદાન કરે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ X પર લખ્યું કે, ‘અમદાવાદમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. પ્રભુ શ્રી રામ દિવંગત પુણ્ય આત્માને પોતાના શ્રીચરણમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવાર અને શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.