ગુજરાતમાં બાગેશ્વરના દરબારથી 'બાપુ' બગડ્યા, કહ્યું- ભગવાન અંધ ભક્તોને...

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વર ધામ સરકારની ગુજરાત મુલાકાતને લઈને BJP પર આકરા પ્રહારો કર્યા છે. વાઘેલાએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પર કહ્યું કે, બાબા BJPનું માર્કેટિંગ કરી રહ્યા છે. વાઘેલાએ કહ્યું કે, રાજકારણમાં ધર્મનો ઉપયોગ ન થવો જોઈએ. BJPએ ધર્મનો ઉપયોગ બંધ કરવો જોઈએ. વાઘેલાએ કહ્યું કે, આ બધું BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે છેતરનારા ભૂખ્યા ન રહે. બાગેશ્વર ધામ સરકારના નામે મીડિયાની હેડલાઈન્સમાં ચમકતા રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરોમાં દરબાર યોજવા જઈ રહ્યા છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે.

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરને લઈને BJP પર આકરા પ્રહારો કર્યા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, બાગેશ્વર સરકાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તમે શું કહેવા માગો છો? આ અંગે વાઘેલાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત એ BJPનું માર્કેટિંગ છે. આપણા દેશમાં ધર્મના નામે દેશદ્રોહ કરનારા ભૂખ્યા નથી રહેતા. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, BJP નકલી ચમત્કારોના નામે રમી રહ્યું છે, વૈજ્ઞાનિક યુગમાં આવી બાબતોને અવકાશ નથી. 

બાગેશ્વર બાબા સુરતથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, જ્યાં તેઓ 26 અને 27 મેના રોજ નીલગીરી મેદાનમાં દિવ્ય દરબાર કરશે. આ પછી બાબા બાગેશ્વર 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર અને 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર છે. આ માટે તમામ શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે. સુરતના દિવ્ય દરબારમાં બે લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે અમદાવાદના માત્ર એક લાખ લોકો જ બાબાના દિવ્ય દરબારમાં જઈ શકશે.

એકબાજુ જ્યાં બાગેશ્વર ધામ સરકારના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતને લઈને ગુજરાતમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાડ પડી ગઈ છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે BJPને બેકફૂટ પર ધકેલનાર રાજ્યના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે બાગેશ્વર બાબાને સાક્ષાત હનુમાનજીના અવતાર તરીકે ઓળખ્યા છે. પાર્ટીથી અલગ અભિપ્રાય રાખતા હેમાંગ રાવલે કહ્યું છે કે, તેમને બાગેશ્વર બાબામાં ઘણી શ્રદ્ધા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથ પણ તેમની મુલાકાતે જાય છે. રાવલના નિવેદનના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે, છેલ્લી બે લોકસભા ચૂંટણી જીત્યા બાદ પણ BJPએ તેના વચનો પૂરા કર્યા નથી. તો શું એ જ વ્યૂહરચના હેઠળ બાબાઓના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે? 

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.