શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જઇ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત, 10 લોકોના મોત

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટી રોડ દુર્ઘટના થઇ ગઇ છે. નાસિક સિન્નાર રોડ પર એક ખાનગી લક્ઝરી બસની ટ્રક સાથે ટક્કર થઇ ગઇ. જેમાં 10 લોકોના મોત થઇ ગયા અને 35 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રિપોર્ટ્સ મુજબ, બસમાં સવાર બધા મુસાફર સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી જઇ રહ્યા હતા. શિરડી હાઇવે પર પઠારે શિવર પાસે એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ ગઇ. બસ સાંઈબાબાના ભક્તોને લઇને જઇ રહી હતી. ત્યારે તેની ટક્કર ટ્રક સાથે થઇ ગઇ.

બસમાં કુલ 45 મુસાફર હતા. તેમાંથી 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઇ ગયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ, 2 નાના બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં નાસિક-અમદાવાદ હાઇવે પર શુક્રવારે સવારે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના મોત થઇ ગયા, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત મુંબઇથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નાર તાલુકામાં પઠારે શિવર પાસે સવારે લગભગ 7 વાગ્યે થયો છે.

ઇજાગ્રસ્તોને ગ્રામીણ હૉસ્પિટલ અને યશવંત હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઇવે પર થયેલા બસ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંબંધિત અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. એક રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉઠાવશે.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) મુજબ, એકનાથ શિંદેએ નાસિકના વિભાગીય કમિશનર સાથે વાત કરી અને તેમને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નાસિક અને શિરડી લઇ જવા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવા માટે તપાસના નિર્દેશ આપ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો બસ અને ટ્રક બંનેના ફુરચેફુરચા ઊડી ગયા છે. જાણકારી મળતા પહોંચેલી પોલીસે બસ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં મોટી સંખ્યામાં લોકો સવાર થઇને શિરડી જઇ રહ્યા હતા. ત્યારે નાસિક-શિરડી હાઇવે પર ટ્રક સાથે ટકરાઇ ગઇ.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.