શું ખરેખર શરદ પવાર અને અજીત પવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે?

અજીત પવાર અને તેમના સમર્થક 15 ધારાસભ્યોએ સોમવારે મુંબઈના વાઈ.બી. ચવ્હાણ સેન્ટરમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શરદ પવારને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, પાર્ટી એકજૂથ રહે. આ મુલાકાતના થોડા કલાકો બાદ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફરી એક વખત તેમણે ભાજપની વિભાજનકારી રાજનીતિને લઈને વિરોધ વ્યક્ત કર્યો. શરદ પવાર વાઈ.બી. ચવ્હાણ કેન્દ્રમાં NCPની યુવા શાખાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન નહીં કરી શકે અને પોતાની પ્રગતિશીલ રાજનીતિ ચાલુ રાખશે. 82 વર્ષીય શરદ પવાર પોતાના ભત્રીજાના બળવાથી દુઃખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગત 2 જુલાઇના રોજ એકનાથ શિંદેના નેતૃત્વવાળી ભાજપ-શિવસેના સરકારમાં અજીત પવાર અને તેમના ઘણા ધારાસભ્ય સામેલ થઈ ગયા હતા. અજીત પવારના પોતાના કાકા વિરુદ્ધ બળવાથી NCP તૂટી ગઈ હતી. બળવો કરનારા NCP નેતાઓએ સોમવારે શરદ પવાર સાથે પાર્ટીને ફરીથી એકજૂથ કરવા પર વિચાર કરવાની અપીલ કરી.

2 જુલાઇના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેનારા અજીત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યોની NCP પ્રમુખ સાથે 2 દિવસમાં આ બીજી બેઠક છે. મીટિંગ્સમાં સામેલ રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલે કહ્યું કે, તેઓ અને અજીત પવાર મંગળવારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્ર જનતાત્રિક ગઠબંધન (NDA)માં સામેલ થશે. શરદ પવાર સાથે આજની બેઠકમાં અમે તેમને ફરીથી એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, NCP એકજૂથ રહે. જે ધારાસભ્ય (અજીત પવાર કેમ્પ) રવિવારે થયેલી બેઠક દરમિયાન શરદ પવારને મળી શક્યા નહોતા. તેઓ આજની મુલાકાતમાં સામેલ હતા.

આ મુલાકાત રાજ્ય વિધાનમંડળના મોનસૂન સત્રની પૂર્વ સંધ્યા પર થઈ હતી. બેઠક બાદ NCP નેતા પ્રફુલ પટેલે જણાવ્યું કે, અજીત પાવર સહિત બધા NCPના મંત્રીઓએ શરદ પવારને આ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો છે કે NCP કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું કે, શરદ પવાર અમારા ભગવાન છે. અમે આજે તેમના આશીર્વાદ લેવા માટે યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં મુલાકાત કરી. અમે બધાએ તેમને એ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો કે પાર્ટી કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું હતું કે, તેમણે શાંતિથી અમારી વાત સાંભળી. જો કે, તેમણે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.